રશિયાના ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ યુક્રેનનાં અનેક શહેરોમાં 58 કલાક કર્ફ્યૂ

રશિયાના ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ યુક્રેનનાં અનેક શહેરોમાં 58 કલાક કર્ફ્યૂ

રશિયામાં રાષ્ટ્રપતિ આવાસ ક્રેમલિન પર ડ્રોન હુમલાની ઘટના બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને અન્ય શહેરો પર હુમલા વધારે તીવ્ર કરી દીધા છે. ગુરુવારે રશિયાની સેનાએ ડ્રોન અને મિસાઇલો મારફતે હુમલા કર્યા હતા. છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત કીવને ટાર્ગેટ બનાવીને ભીષણ હુમલા કરવામાં આવ્યા છે. ખેરસાનમાં રશિયાના ગોળીબારમાં 23 નાગરિકોનાં મોત થયાં છે. આને આ વર્ષના હજુ સુધીના સૌથી ભીષણ હુમલા ગણવામાં આવે છે. બીજી બાજુ કીવના વહીવટી અધિકારી સેરહી પાપ્કોએ કહ્યું છે કે યુક્રેનના એર ડિફેન્સે ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં સફળતા મેળવી છે.

રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની હત્યાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે પોતાની રીતે બદલો લેવાની ધમકી પણ આપી છે. ક્રેમલિન પર 15 મિનિટના ટૂંકા ગાળામાં બે ડ્રોન આવ્યા હતા. આને ઇલેક્ટ્રોનિક રડાર મારફતે નિષ્ફળ કરી દેવાયા હતા. આનાથી ઇમારતને નજીવું નુકસાન થયું છે.

રશિયન હુમલાની આશંકા વચ્ચે યુક્રેનના ખેરસોન સહિત કેટલાંક શહેરોમાં શુક્રવારથી સોમવાર સુધી 58 કલાક સુધી કર્ફ્યૂ લગાવાયો છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે કહેવામાં આવ્યું છે.

યુરોપની યાત્રાએ પહોંચેલા રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએએ કહ્યું છે કે રશિયાએ લોકોનું સમર્થન હાંસલ કરવા માટે આ ચાલ રમી છે. રશિયાના આરોપના સંબંધમાં યુક્રેન અને અમેરિકાનું માનવું છે કે આ હુમલાના બહાને રશિયા હુમલાને તીવ્ર કરશે.બંને દેશોએ એકબીજા પર યુદ્ધ ભડકાવવાનો આરોપ પણ મૂક્યો છે. કીવમાં અમેરિકન દૂતાવાસે ડ્રોન હુમલા બાદ રશિયન મિસાઇલ હુમલાને લઇને ચેતવણી જારી કરી છે. યુક્રેને રશિયાની અંદર ડ્રોન હુમલાને લઇને કોઇ માહિતી આપી નથી. ડ્રોન હુમલાની જવાબદારી લેવાનો યુક્રેને ઇન્કાર કર્યો છે.

Read more

રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું

રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ કોર્પોરે

By Gujaratnow
જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકનાં મોત

જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકનાં મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં ના

By Gujaratnow
સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow