સૌરાષ્ટ્ર-કચ્છના 5500 બેંક કર્મીઓની શનિવારે હડતાળ

સૌરાષ્ટ્ર-કચ્છના 5500 બેંક કર્મીઓની શનિવારે હડતાળ

દેશભરમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓની બદલી સામે વિરોધ અને કરારી કર્મીઓને કાયમી કરવા સહિતની માંગ મુદ્દે દેશભરના બેંક કર્મચારીઓ ફરી એક વખત હડતાલ નો માર્ગ અપનાવ્યો છે જેમાં આગામી શનિવારના રોજ એક દિવસની હડતાલ પાડવા નિર્ણય લેવાયો છે. જેમાં સૌરાષ્ટ્ર -કચ્છના 5500 સહિત દેશના 15000 કર્મચારીઓ જોડાશે અને હડતાળને સમર્થમ આપશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીના જણાવ્યા મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં દ્વિ પક્ષીય કરાર અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પયુટ એક્ટનો ખૂલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. બેંકોમાં અનફેર લેબર પ્રેક્ટીસમાં સતત વધારો થઇ રહ્યો છે. સેન્ટ્રલ બેંક દ્વારા સૌરાષ્ટ્રના 38 સહિત દેશભરમાં કામ કરતા 4325 બેંક કર્મીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી કરી છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંકમાં સાઈનું કામ કરાર મારફ્ત કરાવવાનું બેંકે નક્કી કર્યું છે. આમ પટ્ટાવાળાને નાબુદ કરવા માંગે છે. એક શાખામાંથી બીજી શાખામાં મોટી સંખ્યામાં કેશ નાખવાનું કામ કરારી કર્મીઓ કરતા હોય છે જે જોખમી છે.

દેશભરના 2.75 લાખ કર્મીઓને કાયમી કરવામાં આવે. જેથી તા. 18 નવેમ્બરના રોજ એટલે કે આવતીકાલે સાંજે 5.30 વાગ્યે રાજકોટના જાહેર ક્ષેત્રની 12 બેંકના 2200 કર્મીઓ પોત-પોતાની બેંક બહાર પ્લે-કાર્ડ લઇ વિરોધ કરશે. જયારે 19મીએ રાજકોટ સહિત દેશભરની બેંકો બંધ રહેશે અને વિરોધ નોંધાવશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow