સૌરાષ્ટ્ર-કચ્છના 5500 બેંક કર્મીઓની શનિવારે હડતાળ

સૌરાષ્ટ્ર-કચ્છના 5500 બેંક કર્મીઓની શનિવારે હડતાળ

દેશભરમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓની બદલી સામે વિરોધ અને કરારી કર્મીઓને કાયમી કરવા સહિતની માંગ મુદ્દે દેશભરના બેંક કર્મચારીઓ ફરી એક વખત હડતાલ નો માર્ગ અપનાવ્યો છે જેમાં આગામી શનિવારના રોજ એક દિવસની હડતાલ પાડવા નિર્ણય લેવાયો છે. જેમાં સૌરાષ્ટ્ર -કચ્છના 5500 સહિત દેશના 15000 કર્મચારીઓ જોડાશે અને હડતાળને સમર્થમ આપશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીના જણાવ્યા મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં દ્વિ પક્ષીય કરાર અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પયુટ એક્ટનો ખૂલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. બેંકોમાં અનફેર લેબર પ્રેક્ટીસમાં સતત વધારો થઇ રહ્યો છે. સેન્ટ્રલ બેંક દ્વારા સૌરાષ્ટ્રના 38 સહિત દેશભરમાં કામ કરતા 4325 બેંક કર્મીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી કરી છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંકમાં સાઈનું કામ કરાર મારફ્ત કરાવવાનું બેંકે નક્કી કર્યું છે. આમ પટ્ટાવાળાને નાબુદ કરવા માંગે છે. એક શાખામાંથી બીજી શાખામાં મોટી સંખ્યામાં કેશ નાખવાનું કામ કરારી કર્મીઓ કરતા હોય છે જે જોખમી છે.

દેશભરના 2.75 લાખ કર્મીઓને કાયમી કરવામાં આવે. જેથી તા. 18 નવેમ્બરના રોજ એટલે કે આવતીકાલે સાંજે 5.30 વાગ્યે રાજકોટના જાહેર ક્ષેત્રની 12 બેંકના 2200 કર્મીઓ પોત-પોતાની બેંક બહાર પ્લે-કાર્ડ લઇ વિરોધ કરશે. જયારે 19મીએ રાજકોટ સહિત દેશભરની બેંકો બંધ રહેશે અને વિરોધ નોંધાવશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow