મજેવડી ગેઇટ તોફાન કેસમાં 54 આરોપીઓ જૂનાગઢ જેલ હવાલે

મજેવડી ગેઇટ તોફાન કેસમાં 54 આરોપીઓ જૂનાગઢ જેલ હવાલે

જૂનાગઢની મજેવડી ગેઇટ પાસેની દરગાહને નોટીસ બાદ પોલીસ પર હુમલા અને વ્યાપકપણે થયેલા પથ્થરમારામાં 200 થી વધુ લોકોને પોલીસે પકડ્યા હતા. જેમાં વિવિધ તબક્કે કોર્ટમાં રજૂ કરાયા બાદ કુલ 54 લોકોને આજે જેલ હવાલે કરાયા છે.

મજેવડી ગેઇટ ખાતેના તોફાનીઓ પૈકી 34 લોકોના રીમાન્ડની મુદ્દત પૂરી થતાં આજે તેઓને ફરી કોર્ટમાં રજૂ કરાતાં તેઓને જેલ હવાલે કરાયા છે. આ પૈકીના 5 થી 6 લોકોએ પોલીસે રીમાન્ડ દરમ્યાન માર માર્યાના નિવેદનો આપતાં તેઓને મેડીકલ ચેકઅપ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 28 લોકોને જૂનાગઢ જેલ હવાલે કરાયા છે.

આ ઉપરાંત પોલીસે બીજા 20 લોકોને પણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેઓને પણ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ લોકો હવે ઉપલી કોર્ટમાં જામીન અરજી રજૂ કરવાની તજવીજ કરશે. દરમ્યાન ગઇકાલે 4 સગીરોના પણ કોર્ટે નિવેદન લઇ તેઓને પણ મેડીકલ ચેકઅપ માટે મોકલી આપ્યા હતા. દરમિયાન જૂનાગઢ એલસીબી કચેરી ખાતે પકડાયેલા લોકોના સગા-વ્હાલાઓની ભીડ રોજીંદી બાબત બની ગઇ છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow