રાજકોટમાં સોની વેપારીઓનો 50% ધંધો ઠપ્પ

રાજકોટમાં સોની વેપારીઓનો 50% ધંધો ઠપ્પ

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરતાની સાથે જ રાજયમાં આચારસંહિત લાગુ કરી દેવામાં આવી છે. આ આચારસંહિતના કારણે સોની વેપારીઓને સહન કરવાનો વખત આવ્યો છે અને વેપારી તથા કારીગરોને ઓથોરીટી દ્વારા તમામ પ્રકારના દાગીનાના ડોકયુમેન્ટ રજૂ કરવામા આવતા હોવા છતાં ભારે હેરાનગતિ કરવામા આવી રહી હોવાથી સોની આગેવાનો રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી મુખ્ય આગેવાનોએ આ હેરાનગતિ બંધ કરવા માટે રજુઆત કરી છે અન્યથા મતદાનો પણ બહિષ્કાર કરી રાજકોટ સોનીબજાર અચોકકસ મુદત માટે બંધ રાખવાનું નકકી કરવામા આવ્યું છે.

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના આગેવાન અરવિંદભાઈ સોનીએ જણાવ્યા મુજબ આચારસંહિતાના અમલ સાથે જ રાજકોટ સોનીબજારની માઠી બેઠી ગઈ છે કેમકે સક્ષમ આથોરીટીના સ્ટાફ દ્વારા રોકડ કે કિંમતી ચીજવસ્તુઓની હેરફેર રોકવા ચેકિંગની કાર્યવાહી કરવામા આવી રહી છે. આ ચેકિંગ દરમિયાન સોનીવેપારી કે કારીગરો પુરતા ડોકયુમેન્ટ રજૂ કરે તો પણ હેરાનગતિ કરવામા આવી રહી છે. આ પ્રકારની કનડગતના કારણે ધંધો કરવો અસહ્ય બની ગયો છે અને ધંધો 50 ટકા થઈ ગયો છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow