રાજકોટમાં સોની વેપારીઓનો 50% ધંધો ઠપ્પ

રાજકોટમાં સોની વેપારીઓનો 50% ધંધો ઠપ્પ

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરતાની સાથે જ રાજયમાં આચારસંહિત લાગુ કરી દેવામાં આવી છે. આ આચારસંહિતના કારણે સોની વેપારીઓને સહન કરવાનો વખત આવ્યો છે અને વેપારી તથા કારીગરોને ઓથોરીટી દ્વારા તમામ પ્રકારના દાગીનાના ડોકયુમેન્ટ રજૂ કરવામા આવતા હોવા છતાં ભારે હેરાનગતિ કરવામા આવી રહી હોવાથી સોની આગેવાનો રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી મુખ્ય આગેવાનોએ આ હેરાનગતિ બંધ કરવા માટે રજુઆત કરી છે અન્યથા મતદાનો પણ બહિષ્કાર કરી રાજકોટ સોનીબજાર અચોકકસ મુદત માટે બંધ રાખવાનું નકકી કરવામા આવ્યું છે.

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના આગેવાન અરવિંદભાઈ સોનીએ જણાવ્યા મુજબ આચારસંહિતાના અમલ સાથે જ રાજકોટ સોનીબજારની માઠી બેઠી ગઈ છે કેમકે સક્ષમ આથોરીટીના સ્ટાફ દ્વારા રોકડ કે કિંમતી ચીજવસ્તુઓની હેરફેર રોકવા ચેકિંગની કાર્યવાહી કરવામા આવી રહી છે. આ ચેકિંગ દરમિયાન સોનીવેપારી કે કારીગરો પુરતા ડોકયુમેન્ટ રજૂ કરે તો પણ હેરાનગતિ કરવામા આવી રહી છે. આ પ્રકારની કનડગતના કારણે ધંધો કરવો અસહ્ય બની ગયો છે અને ધંધો 50 ટકા થઈ ગયો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow