Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

જિલ્લાની 50 આંગણવાડીનું પ્રોજેક્ટ સોનેરી બાળપણ હેઠળ નવીનીકરણ કરાયું

Gujaratnow2 min read
જિલ્લાની 50 આંગણવાડીનું પ્રોજેક્ટ સોનેરી બાળપણ હેઠળ નવીનીકરણ કરાયું

આંગણવાડીને બાળ ઘડતરનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે. હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં શાળાઓ સ્માર્ટ થઇ રહી છે ત્યારે આંગણવાડીને પણ હાઈટેક બનાવવા પ્રયત્નો થઇ રહ્યા છે. બાળકનો પાયો બાળપણથી જ મજબૂત બને તો આગળ જતા તે વધુ સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. અત્યાર સુધી જે બાબતો બાળકો ચોપડીઓમાં જોઈને શીખતા હતા તે હવે આંગણવાડીની દીવાલોમાંથી જ શીખી શકાશે. આંગણવાડીની દીવાલો જાણે બાલ ચિત્રાવલિ બની હોય એમ રાજકોટ જિલ્લાની 50 જેટલી આંગણવાડીનું પ્રોજેક્ટ ‘સોનેરી બાળપણ’ હેઠળ નવીનીકરણ કરાયું છે.

જેમાંથી હવે બાળકો કક્કો, એબીસીડી, આપણું શરીર, પશુ-પક્ષી,પ્રાણી, ફૂલોના નામ, ઋતુચક્ર દીવાલના આકર્ષક ચિત્રોમાંથી શીખશે.બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાના હેતુ સાથે જિલ્લાના દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મુકાઈ છે. જેમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો હોંશભેર આંગણવાડીમાં દાખલ થાય અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે માટે આંગણવાડી કેન્દ્રોને આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયત દ્વારા પ્રોજેક્ટ ‘સોનેરી બાળપણ’ યોજના અમલી કરાઈ છે.

આ પ્રોજેક્ટ હેઠળ નાના ભૂલકાંઓ માટે આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગની ડિઝાઈન અને કલરકામ ઉપર ખાસ ધ્યાન આપીને આકર્ષક બનાવવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની 50 આંગણવાડીઓમાં રૂ.15 લાખનું કલરકામ-નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે. રાજકોટ તાલુકાની 4, ગોંડલ તાલુકાની 9, ઉપલેટા તાલુકાની 4, જેતપુર તાલુકાની 4, ધોરાજી તાલુકાની 4, જામકંડોરણા તાલુકાની 4, પડધરી તાલુકાની 4, કોટડાસાંગાણી તાલુકાની 4, જસદણ તાલુકાની 4 અને વીંછિયા તાલુકાની 4 આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.

Gujaratnow2 min read

Related News