રાજકોટ આવતી-જતી 5 ટ્રેન ડાઇવર્ટ રૂટ પરથી દોડશે

રાજકોટ આવતી-જતી 5 ટ્રેન ડાઇવર્ટ રૂટ પરથી દોડશે

પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેન આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો પૈકી 24મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25મીએ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ અને 22મીએ કામાખ્યાથી ઉપડનારી ટ્રેન નં. 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.

23મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25મીએ બનારસથી ઉપડનારી ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગ્રાફોર્ટ-કાનપુરના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામનગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે. રેલવે તંત્રએ મુસાફરોને ટ્રેનની કામગીરી સંબંધિત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવ્યું છે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow