રાજકોટ આવતી-જતી 5 ટ્રેન ડાઇવર્ટ રૂટ પરથી દોડશે

રાજકોટ આવતી-જતી 5 ટ્રેન ડાઇવર્ટ રૂટ પરથી દોડશે

પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેન આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો પૈકી 24મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25મીએ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ અને 22મીએ કામાખ્યાથી ઉપડનારી ટ્રેન નં. 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.

23મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25મીએ બનારસથી ઉપડનારી ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગ્રાફોર્ટ-કાનપુરના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામનગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે. રેલવે તંત્રએ મુસાફરોને ટ્રેનની કામગીરી સંબંધિત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવ્યું છે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow