ચીનથી આવતા લોકો પર 5 દેશોએ પ્રતિબંધ મૂક્યો

ચીનથી આવતા લોકો પર 5 દેશોએ પ્રતિબંધ મૂક્યો

ઝીરો કોવિડ નીતિ છોડ્યા બાદ ચીનમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. કડક કોવિડ પ્રતિબંધો હટ્યા બાદ એવું અનુમાન છે કે ચાલુ મહિને ત્યાં કેસની સંખ્યા કરોડોમાં પહોંચી શકે છે. તેણે આગામી વર્ષની શરૂઆતમાં 8 જાન્યુઆરીથી તેની સરહદો ખોલવાનો નિર્ણય કરી લીધો છે. હવે દુનિયાના અન્ય દેશો ચીન માટે દરવાજા બંધ કરી રહ્યા છે.

ચીનમાં વધતા સંક્રમણથી સાવચેત થઈ રહ્યા છે. ભારતે ચીનથી આવતા યાત્રીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. અન્ય આંતરરાષ્ટ્રીયના 2 ટકા રેન્ડમ સેમ્પલિંગ કરાઈ રહ્યા છે. અમેરિકા પણ ચીનથી આવતા લોકો માટે નવા સાવચેતીના ઉપાયો કરી રહ્યું છે. જાપાને ચીનથી આવનારા લોકો માટે કોવિડ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન પણ ટેસ્ટિંગ જેવા પ્રતિબંધ મૂકી રહ્યા છે.

ભ્રામક ડેટાથી નિષ્ણાતોને નવા વેરિયન્ટનો ડર
નિષ્ણાતોને વાઈરસના ઝડપથી ફેલાવાથી નવો વેરિયન્ટ સામે આવવાનો ડર છે. ચીનના કોવિડ કેસના સંક્રમણની વાસ્તવિક સ્થિતિ અને જિનોમ સિક્વન્સિંગના ડેટાના અભાવે તેમની ચિંતા વધી ગઈ છે.

ચીનથી બહાર જવાની લોકોને ઉતાવળ, સિંગાપોર પહેલી પસંદ
ચીને 3 વર્ષ પછી યાત્રા પ્રતિબંધ હટાવ્યા છે. તેના પછી બહાર જનારા લોકો ઉમટી પડ્યા છે. એક ટ્રાવેલ સાઈટ અનુસાર મંગળવારે બહાર જતી ફ્લાઈટનું બુકિંગ 254% વધી ગયું. સૌથી વધુ બુકિંગ સિંગાપોર, તેના પછી દ.કોરિયાનું આવી રહ્યું છે.

પ્રથમ ત્રિમાસિકમાં ચીનના અર્થતંત્ર પર માઠી અસર
ચીનમાં કોવિડની ભયંકર લહેરની નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં અર્થતંત્ર પર માઠી અસર થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આગામી વર્ષે ચીનનો ઝડપી અને મજબૂત ગ્રોથ થશે.

નેપાળ-ચીન વેપાર માર્ગ 3 વર્ષ પછી ખૂલ્યો
કોવિડને કારણે ત્રણ વર્ષ બંધ રહ્યા બાદ નેપાળ-ચીન વચ્ચે મુખ્ય વ્યાપારિક માર્ગ કેરુંગ-રસુવાગઢી બુધવારે ખૂલી ગયો. નેપાળથી સામાન લઈને 6 કાર્ગો ટ્રક ચીન રવાના થયા. નેપાળમાં તાજેતરમાં કમ્યુનિસ્ટ પાર્ટીઓની સરકાર બની છે ત્યાં પણ ચીન સરહદો ખોલી રહ્યું છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow