ગોંડલ ધારેશ્વર ચોકડી પાસેથી 48 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

ગોંડલ ધારેશ્વર ચોકડી પાસેથી 48 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

ગોંડલ શહેરમાં નશીલા પદાર્થોનો વેપલો વધ્યો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે એસ.ઓ.જી, એલસીબી સહિતની પોલીસે બાતમીનાં આધારે ગોંડલની ધારેશ્વર ચોકડી પાસેથી ટ્રક ચાલકને ઝડપી 48.565 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પીએસઆઈ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ પરવેજભાઇ સમા, કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, જયેન્દ્રસિંહ વાધેલા તથા નરેન્દ્રસિંહ રાણા, અનિલ ગુજરાતી, પ્રહલાદસિહ રાઠોડ, રૂપક બોહરા સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ શ્રીનાથજી સોસાયટીના રહેવાસી શરીફ ઇબ્રાહીમભાઇ ભૈયાને ગોંડલ ઘોઘાવદર રોડ પર ધારેશ્વર ચોકડી પાસેથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ - માદક પદાર્થ ગાંજાનો જથ્થો 48 કિલો 565 ગ્રામ કે જેની કિંમત. રૂ.4,85,650/- સાથે કુલ મુદામાલ 14 લાખ 90 હજાર 650 /- સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પોલીસ ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલી છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow