દેશમાં 25 વર્ષથી ઓછી વયના 42% ગ્રેજ્યુએટ બેરોજગાર

દેશમાં 25 વર્ષથી ઓછી વયના 42% ગ્રેજ્યુએટ બેરોજગાર

બૅંગલુરુ કોરોનાકાળ પછી દેશની અર્થવ્યવસ્થા સુધરવાની સાથેસાથે બેકારીના દરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં સ્નાતક થયેલા લોકોની બેરોજગારી અત્યારે પણ 15%ના સ્તરે છે. ઝડપી આર્થિક વિકાસ છતાં 25થી ઓછી વયના 42% સ્નાતકો બેકાર છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ બુધવારે પ્રસિદ્ધ કરેલા ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા, 2023’ અહેવાલ પ્રમાણે 2019 પછીથી વર્કફોર્સનું કદ વધ્યું, ભાગીદારીનો દર વધ્યો અને બેરોજગારીનો દર ઘટ્યો છે. 2021-2022માં બેરોજગારીનો દર 6.6% હતો, જે 2017-18માં 8.7% હતો. આ આંકડા શહેરી અને ગ્રામ્ય, બંને વિસ્તારો તથા મહિલા-પુરુષ, બંને વર્ગ સાથે સંકળાયેલા છે. આ અહેવાલમાં પીરિયોડિક લેબર ફોર્સ, 2023ના ડેટાને આધાર તરીકે લેવાયો છે. તેના આધારે ઉચ્ચ શિક્ષિત જૂથમાં બેકારીના દરમાં ભારે ઉતર-ચઢ જોવા મળી છે. 20 વર્ષથી ઓછી વયના શિક્ષિત યુવાનોમાં બેકારીનો દર 42% રહ્યો હતો જ્યારે 35 વર્ષ કે તેનાથી વધુ વયના માત્ર 5% સ્નાતક જ બેરોજગાર હતા. એટલે કે સ્નાતકોને મોડેમોડે પણ કામ મળતું હતું. જોકે તેમની યોગ્યતા અને અપેક્ષા પ્રમાણેનું કામ મળ્યું છે કે નહીં તે અહેવાલમાં દર્શાવાયું નથી. વિકાસ અને રોજગારી વચ્ચે નબળો સંબંધ બંધાયો હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.

મહાબીમારીને કારણે આપત્તિજન્ય રોજગારો વધ્યા છે. અહેવાલમાં જાતિઆધારિત રોજગારોના પ્રભાવનું વિશ્લેષણ કરાયું છે. તે અનુસાર કચરો અને ચામડાં સાથે જોડાયેલાં કામમાં એસસી સમાજના લોકો ઝડપથી ઘટી રહ્યા છે. જોકે 2021-22 સુધીના આંકડા પ્રમાણે એ નષ્ટ થયા નથી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow