4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી

4 વ્યાજખોરની જમીન, મકાન, પ્લોટ પડાવ્યા બાદ વધુ નાણાં વસૂલવા ધમકી

મોરબી રોડ પર આવેલા બેડી ગામની ખોડિયાર સોસાયટીમાં રહેતા વજસીભાઇ અરજણભાઇ બેરા નામના ખેડૂતે બેડીપરાના તેજા ધારા મકવાણા, સાતડા ગામના ગણેશ દેવ મેઘાણી, નવાગામના કિશોર અરજણ હાંડા, લાલા નારણ ફાંગલિયા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખેડૂતની ફરિયાદ મુજબ, સાત વર્ષ પૂર્વે મોરબી રોડ પર હોટલ ચાલુ કરવી હોય તેજા મકવાણાનો સંપર્ક કર્યો હતો. અને તેની પાસેથી બે તબક્કે 5 અને સાત ટકાના વ્યાજે 35 તેમજ 25 લાખ લીધા હતા. તેજા મકવાણાને દર મહિને રૂ.1.75 લાખનું વ્યાજ ચૂકવતો હતો. દરમિયાન 2013માં પુત્રના લગ્ન માટે રૂપિયાની ફરી જરૂરિયાત પડતા વધુ એક વખત તેજા મકવાણાએ જમીનનો દસ્તાવેજ લઇ પોતાને 50 લાખ આપ્યા હતા. આ વખતે તેજા મકવાણાએ 9 ટકા લેખે રૂપિયા આપ્યા હતા. વ્યાજખોરને વ્યાજ સમયસર ચૂકવ્યા બાદ તેની પાસેથી જમીનના દસ્તાવેજ પરત માગ્યા હતા. ત્યારે તેને દસ્તાવેજના બદલે બેડી ગામના બે મકાન આપ્યા હતા. તેજા મકવાણાને તમામ રકમ ચૂકવી દેવા છતાં તે વધુ નાણાંની માગણી કરી મકાન, જમીનના કાગળો પરત આપતો ન હતો.

દરમિયાન ફરી હોટેલમાં રૂપિયાની જરૂર પડતા વ્યાજખોર લાલા ફાંગલિયા પાસેથી નવ ટકાના વ્યાજે દસ લાખ લીધા હતા. જેની સામે લાલાએ કાર પણ પડાવી લીધી હતી. હિસાબ મુજબ પોતાને 5 લાખ દેવાના થતા હોય કાર વેચીને પૈસા ચૂકવી આપ્યા હતા. નાણાં લેતી વખતે લાલાએ પ્લોટનું પણ લખાણ કરાવ્યું હોય તે પરત કરવાનું કહેતા તે ગોળગોળ વાતો કરતો રહેતો હતો. થોડા દિવસ પછી ફરી લાલાને વાત કરતા તેને તારે હજુ રૂ.12 લાખ આપવાના થાય છે. જો પૈસાન આપે તો હું પ્લોટ આપીશ નહિ, તારે થાય તે કરી લેજે, જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજેની ધમકી આપી હતી.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow