કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

છેતરપિંડી કરતા ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને ફસાવતા હોય છે. આવા જ વધુ એક કિસ્સામાં કેન્સર પીડિતોને ભારતમાં મદદ કરવા વિદેશથી મોટી રકમનું પાર્સલ મોકલ્યાનું કહી યુવક પાસેથી રૂ.35 હજાર ખંખેરી લીધા હતા.

જૂના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં વિજય નાગદાનભાઇ કુંભારવાડિયા (ઉ.વ.34)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિલાશ તિવારી અને જિતેન્દ્રસિંઘના નામ આપ્યા હતા, વિજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં તેના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો.

મેસેજ કરનારે પોતે કેન્સર પીડિત છે અને ભારતમાં રહેતા કેન્સર પીડિતોને આર્થિક મદદ કરવા ઇચ્છે છે તે માટે નામ સરનામું મોકલવાનું કહ્યું હતું અને બીજા દિવસે વીડિયો કોલ કર્યો હતો જેમાં ફોન કરનારે પોતના નાકમાં નળી પણ લગાવી હોય વિજય તેની જાળમાં ફસાઇ ગયો હતો.

થોડા દિવસ બાદ વિજયને ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી કસ્ટમ ઓફિસેથી બોલે છે અને રોકડ ભરેલું પાર્સલ આવ્યું છે તે છોડાવવા માટે રૂ.35 હજાર કસ્ટમ ડ્યૂટી ભરવાની છે, વિજયે કસ્ટમ ડ્યૂટીના રૂ.35 હજાર ભરતા અભિલાશ અને જિતેન્દ્રસિંઘના ખાતામાં રકમ જમા થઇ ગઇ હતી બાદમાં વધુ રૂ.1,23,900ની માંગ કરતાં વિજયને પોતાની સાથે છેતરપિંડી થઇ રહ્યાનું લાગતા તેણે રકમ મોકલી નહોતી, આ મામલે અંતે પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow