કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

કેન્સરના દર્દીના લાભાર્થે વિદેશથી રૂપિયાનું પાર્સલ આવ્યું છે કહી 35 હજાર પડાવી લીધા

છેતરપિંડી કરતા ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને ફસાવતા હોય છે. આવા જ વધુ એક કિસ્સામાં કેન્સર પીડિતોને ભારતમાં મદદ કરવા વિદેશથી મોટી રકમનું પાર્સલ મોકલ્યાનું કહી યુવક પાસેથી રૂ.35 હજાર ખંખેરી લીધા હતા.

જૂના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં વિજય નાગદાનભાઇ કુંભારવાડિયા (ઉ.વ.34)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિલાશ તિવારી અને જિતેન્દ્રસિંઘના નામ આપ્યા હતા, વિજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં તેના વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો.

મેસેજ કરનારે પોતે કેન્સર પીડિત છે અને ભારતમાં રહેતા કેન્સર પીડિતોને આર્થિક મદદ કરવા ઇચ્છે છે તે માટે નામ સરનામું મોકલવાનું કહ્યું હતું અને બીજા દિવસે વીડિયો કોલ કર્યો હતો જેમાં ફોન કરનારે પોતના નાકમાં નળી પણ લગાવી હોય વિજય તેની જાળમાં ફસાઇ ગયો હતો.

થોડા દિવસ બાદ વિજયને ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી કસ્ટમ ઓફિસેથી બોલે છે અને રોકડ ભરેલું પાર્સલ આવ્યું છે તે છોડાવવા માટે રૂ.35 હજાર કસ્ટમ ડ્યૂટી ભરવાની છે, વિજયે કસ્ટમ ડ્યૂટીના રૂ.35 હજાર ભરતા અભિલાશ અને જિતેન્દ્રસિંઘના ખાતામાં રકમ જમા થઇ ગઇ હતી બાદમાં વધુ રૂ.1,23,900ની માંગ કરતાં વિજયને પોતાની સાથે છેતરપિંડી થઇ રહ્યાનું લાગતા તેણે રકમ મોકલી નહોતી, આ મામલે અંતે પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow