ભક્તિનગર, પડધરી અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રના 34 રેલવે સ્ટેશનની કાયાપલટ થશે, વેઈટિંગ લોંજ સહિતની સુવિધા હશે

ભક્તિનગર, પડધરી અને ગોંડલ સહિત સૌરાષ્ટ્રના 34 રેલવે સ્ટેશનની કાયાપલટ થશે, વેઈટિંગ લોંજ સહિતની સુવિધા હશે

કેન્દ્રીય બજેટમાં વેસ્ટર્ન રેલવેના બજેટની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતને રેલવે બજેટમાં કુલ 8332 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ, ડબલ ટ્રેક કામગીરી, ઈલેક્ટ્રિફિકેશન, બ્રિજ, રેલવે લાઈન સહિતના જુદા જુદા કામ માટે બજેટ ફાળવાયું છે. વેસ્ટર્ન રેલવેના બજેટમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે જેમાં સૌરાષ્ટ્રના 34 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

આગામી અંદાજિત બે વર્ષમાં સૌરાષ્ટ્રના 34 જેટલા રેલવે સ્ટેશનની કાયાપલટ થશે જેમાં રાજકોટ શહેરમાં આવેલા ભાવનગર ડિવિઝનમાં આવતા ભક્તિનગર રેલવે સ્ટેશન, પડધરી, ગોંડલ સહિતના જુદા જુદા રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ તમામ રેલવે સ્ટેશનોમાં વેઈટિંગ રૂમ, પાણી, બેઠક વ્યવસ્થા સહિતની જુદી જુદી સુવિધા-વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય બજેટમાં ગુજરાત રાજ્યને રેલ બજેટમાં અપાયેલા લાભો અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

સૌરાષ્ટ્રના આ 34 રેલવે સ્ટેશનની કાયાપલટ થશે
ભક્તિનગર રેલવે સ્ટેશન, ભાણવડ, ભાટિયા, ભાવનગર, બોટાદ જંક્શન, ચોરવાડ રોડ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગોંડલ, હાપા, જામજોધપુર, જામનગર, જામવંથલી, જૂનાગઢ, કાનાલુસ, કેશોદ, ખંભાળિયા, લખતર, લીંબડી, મીઠાપુર, મોરબી, ઓખા, પડધરી, પોરબંદર, રાજકોટ, રાજુલા, સાવરકુંડલા, સિહોર જંક્શન, સોમનાથ, સુરેન્દ્રનગર, થાન, વેરાવળ, વિરમગામ અને વાંકાનેર સ્ટેશનની કાયાપલટ કરાશે.

સોમનાથના સ્ટેશનને 157 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય બનાવાશે
રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે જેથી યાત્રીઓને આરામદાયક યાત્રાનો અનુભવ થઇ શકે. પશ્ચિમ રેલવેના છ સ્ટેશન એટલે કે સોમનાથ, સુરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુન: વિકાસનું કામ ચાલી રહ્યું છે. સોમનાથ સ્ટેશનને 157 કરોડનાં ખર્ચે આધુનિક સ્ટેશન રૂપે પુન: વિકાસ કરવામાં આવી રહ્યું છે અને તેની કામગીરી માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સોમનાથમાં મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow