દેશમાં 33% યુવાનો નથી ભણતા

દેશમાં 33% યુવાનો નથી ભણતા

માંડ 29 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતું ભારત, દુનિયામાં સૌથી ઓછી સરેરાશ ઉંમર ધરાવે છે. જોકે, ચિંતા એ વાતની છે કે દેશના 15થી 29 વર્ષની વયના 32.9% યુવાનો ના તો ભણે છે, ના તો કોઈ કામધંધો. એટલું જ નહીં, તેઓ કોઈ જ પ્રકારની તાલીમ પણ નથી લઈ રહ્યા.નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)ના આ મહિને જાહેર કરાયેલા રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.

એનએસએસઓએ તમામ રાજ્યના કુલ 2.9 લાખ પરિવાર પર જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2021 વચ્ચે આ સરવે કર્યો હતો.દેશમાં બેકાર યુવાનોમાંથી 20.3% યુવાનો તો કામ શોધતા પણ નથી. 69.8% ઘરેલુ કામ કરે છે, જ્યારે 1.5% યુવાનો આરોગ્યના કારણે કામ કરવા યોગ્ય જ નથી અને 2.3% બસ એમ જ સમય બરબાદ કરી રહ્યા છે.જો કમ્પ્યુટરના જ્ઞાનની વાત કરીએ તો 15થી 29 વર્ષની ઉંમરના 61.6% યુવાનોને તો કોપી-પેસ્ટ કરતા પણ નથી આવડતું. જો કોઈ એટેચમેન્ટ સાથે ઈ-મેલ મોકલવો હોય તોપણ 73.3% યુવાનોને તે અશક્ય લાગે છે.

Read more

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી

By Gujaratnow
ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

રવિવારથી ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઈ હતી. પીએમ મોદીએ પણ તેમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ હોલમાં છેલ્લી હરોળમાં બેઠા હતા. ફોટો શેર

By Gujaratnow