દેશમાં વર્ષ 2022માં સાઇબર એટેકમાં 31%નો વધારો : રિપોર્ટ

દેશમાં વર્ષ 2022માં સાઇબર એટેકમાં 31%નો વધારો : રિપોર્ટ

દેશમાં વર્ષ 2022 દરમિયાન સાયબર(માલવેર) એટેકમાં 31 ટકાનો વધારો નોંધાયો છે જેને કારણે કંપનીઓ સાયબર એટેક સામે તેઓને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો વધારવા માટે મજબૂર બની છે. રિપોર્ટ અનુસાર તેમાં 10 ટકા ઘટના ડેટા ચોરીની છે જ્યારે રેનસમવેર એટેકની ઘટનામાં પણ 53%નો વધારો જોવા મળ્યો છે. ‘2023 સોનિકવૉલ સાયબર થ્રેટ રિપોર્ટ’ અનુસાર ‘ક્રિપ્ટો જેકિંગ એટેક”માં 116%નો તેમજ “iOT એટેક’માં પણ 84 ટકાનો વધારો નોંધાયો છે. સોનિકવોલ યુએસ સ્થિત સાયબર સુરક્ષા પ્રદાતા છે.

અન્ય દેશોમાં માલવેર એટેકમાં ઘટાડો થયો હોવા છતાં ભારતમાં તેમાં વધારો ચેતવણીરૂપ છે. ભારત જેવા શહેરોમાં હેકર્સ સાયબર હુમલા માટે તેનું નેટવર્ક સતત વધારી રહ્યાં છે. તેઓ અલગ અલગ પદ્ધતિઓ તેમજ કેટલાક ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ બનાવીને સાયબર હુમલાને અંજામ આપે છે.

સાઇબર સિક્યોરિટી માર્કેટ $173.5 અબજ ક્રોસ
વૈશ્વિક સ્તરે સાયબર સિક્યોરિટી માર્કેટ વર્ષ 2022માં $173.5 અબજને આંબી ગયું છે. તેમાં વર્ષ 2027 સુધીમાં 8.9 ટકા સાથેના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) સાથે તે $266.2 અબજને આંબશે. ભારતમાં સોનિકવોલનો 55 ટકા બિઝનેસ એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ તરફથી આવે છે જ્યારે 45 ટકા SMEs તરફથી આવે છે. સંસ્થાઓ સતત નવા નવા પ્રકારના સાયબર હુમલાઓનો સામનો કરે છે જ્યાં સાયબર ઠગો કંપનીઓથી હંમેશા આગળ રહીને અલગ અલગ રીતે સાયબર હુમલાને અંજામ આપે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow