શોપિયામાં 3 આતંકવાદીઓ ઠાર

શોપિયામાં 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાના મુંજ માર્ગ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી એક AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર આ માહિતી આપી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન વધારી દીધું છે.

ત્રણમાંથી બે આતંકીઓની ઓળખ થઈ ગઈ છે
ADGP કાશ્મીરે જણાવ્યું કે માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હતા. જેમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. શોપિયાનો રહેવાસી આતંકવાદી લતીફ લોન કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો અને અનંતનાગનો ઉમર નઝીર નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. તે જ સમયે, ત્રીજા આતંકવાદી વિશે માહિતી મેળવાઈ રહી છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા દળોને મુંજ માર્ગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી જવાનોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ પછી એન્કાઉન્ટર થયું. હાલમાં સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને વધુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow