શોપિયામાં 3 આતંકવાદીઓ ઠાર

શોપિયામાં 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાના મુંજ માર્ગ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી એક AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર આ માહિતી આપી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન વધારી દીધું છે.

ત્રણમાંથી બે આતંકીઓની ઓળખ થઈ ગઈ છે
ADGP કાશ્મીરે જણાવ્યું કે માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હતા. જેમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. શોપિયાનો રહેવાસી આતંકવાદી લતીફ લોન કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો અને અનંતનાગનો ઉમર નઝીર નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. તે જ સમયે, ત્રીજા આતંકવાદી વિશે માહિતી મેળવાઈ રહી છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ
રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા દળોને મુંજ માર્ગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી જવાનોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ પછી એન્કાઉન્ટર થયું. હાલમાં સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને વધુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow