અમેરિકામાં ફાયરિંગની 3 ઘટના, 11ના મોત

અમેરિકામાં ફાયરિંગની 3 ઘટના, 11ના મોત

અમેરિકામાં છેલ્લા 12 કલાકની અંદર જ ફાયરિંગની 3 ઘટનાઓ સામે આવી છે. જેમાં 2 વિદ્યાર્થીઓ સહીત 11 લાકોના મોત થયા છે. 2 દિવસ પહેલા લોસ એન્જેલસમાં ફાયરિંગમાં 11 લોકોના મોત થયા હતા.

પ્રથમ ફાયરિંગ કેલિફોર્નિયામાં, 7ના મોત: ઉત્તર કેલિફોર્નિયામાં સામવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં 7 લોકોના મોત થયા હતા તેમજ 3 લોકો ગંભીર છે. કેલિફોર્નિયાના હાફ મુન બેમાં ફાયરિંગ બાદ 67 વર્ષીય જહાઓ ચુનલી નામના શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો, તે બાબતે હજી સુધી કંઈ સ્પષ્ટ જાણી શકાયું નથી.

બીજી ફાયરિંગની ઘટના આયોવામાં, 2 વિદ્યાર્થીના મોત: અહીં ખાસ બાળકો માટે ચલાવવામાં આવતી સ્કૂલમાં ગનમેને ફાયરિંગ કર્યું હતુ. જેમાં 2 વિદ્યાર્થીઓના મોત થયા છે. 3 ઘાયલ થયા છે તેમાં 2 લોકોની સ્થિતિ નાજુક છે. સ્કૂલમાં એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. પોલીસે જણાવ્યું કે ફાયરિંગ બાદ લગભગ 20 મિનીટ બાદ એક કારમાંથી 3 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. ઘટના બાદ સાર્જેન્ટ પોલ પારિજેકે જણાવ્યું હતુ કે હુમલાને યોજનાબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ છે. જો કે તેની પાછળનો હેતું શું હતો તે બાબતે કંઈ જાણી શકાયું નથી. સ્કૂલની વેબસાઈટ મુજબ ત્યાં ભણતા 80% બાળકો લઘુમતી સમુદાયના છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow