28 નવેમ્બરે વિવાહ પંચમી

28 નવેમ્બરે વિવાહ પંચમી

માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ વિવાહ પંચમી પર્વ છે. શાસ્ત્રો પ્રમાણે આ દિવસનું ખાસ મહત્ત્વ છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે આ દિવસે પુરૂષોત્તમ શ્રીરામના લગ્ન માતા સીતા સાથે થયાં હતાં. દર વખતે આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન એક ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે.

આ વર્ષે વિવાહ પંચમીનો શુભ દિવસ 28 નવેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન રામ-સીતાની ખાસ પૂજા થાય છે. વ્રત રાખવામાં આવે છે. આખો દિવસ મંદિરમાં યજ્ઞ-અનુષ્ઠાન અને ભજન-કીર્તન થાય છે. આ પર્વમાં રામચરિતમાનસનો પાઠ કરવાની પણ પરંપરા છે.

રામચરિત માનસ પાઠનું ખાસ મહત્ત્વ છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે માગશરની પાંચમ તિથિએ જ તુલસીદાસજીએ રામચરિતમાનસ પૂર્ણ કર્યું હતું, સાથે જ રામ સીતાજીના લગ્ન પણ આ દિવસે થયાં હતાં એટલે વિવાહ પંચમીના દિવસે રામચરિતમાનસનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો આ દિવસે રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આવે છે.

વિવાહ પંચમીના દિવસે વ્રત રાખવાથી લગ્નમાં આવતાં વિઘ્નો દૂર થાય છે

લગ્નમાં આવતી અડચણ દૂર થશે
જે લોકોના લગ્નમાં વિઘ્નો આવી રહ્યા હોય અથવા પછી મોડું થઈ રહ્યું હોય તેમણે વિવાહ પંચમીના દિવસે વ્રત રાખવું જોઈએ અને વિધિ-વિધાન સાથે ભગવાન રામ અને માતા સીતાનું પૂજન કરવું જોઈએ. સાથે જ પ્રભુ શ્રીરામ અને માતા સીતાના લગ્ન કરાવવા જોઈએ.

પૂજા દરમિયાન પોતાના મનમાં મનોકામના કહેવી જોઈએ. માન્યતા છે કે તેનાથી જલ્દી લગ્ન થવાના યોગ બને છે સાથે જ સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે અને લગ્નમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow