અંજાર પાલિકા પર વીજ તંત્રનું 28.52 કરોડનું લેણું

અંજાર પાલિકા પર વીજ તંત્રનું 28.52 કરોડનું લેણું

શહેરીજનો પાસેથી સતત વેરા વસૂલ કર્યા બાદ પણ કચ્છની પાલિકાઓ પાણી પુરવઠા તથા વીજ વિતરણના બિલ ભરવામાં કરાતી આળસને કારણે વીજ કનેક્શન કપાઇ જતા છેવટે જે-તે શહેરોના રહેવાસીઓને સહન કરવું પડી રહ્યું છે. અંજારમાં પણ પાલિકા દ્વારા બિલ ભરવામાં થયેલી આળસને કારણે વીજતંત્રનું બાકી લેણું અધધધ.. કહી શકાય તેવું 28.52 કરોડનું ચડી ગયું છે. અને ત્યારબાદ પણ દર મહિને પાણી વિતરણ માટેના 23 જોડાણોનું 28 થી 30 લાખ જેટલું બિલ ચડી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અંજાર પીજીવીસીએલ દ્વારા અંજાર પાલિકાને પાણી વિતરણ માટેના 23 બોરના વીજવપરાશના બિલ પેટે કુલ લેણી રકમ રૂા. 28,52,01,956 સુધી પહોંચી ગઇ છે. ગત ઓકટોબર માસમાં આ લેણી રકમ રૂ. 40 કરોડ સુધી પહોંચી ગયા બાદ સતત મીટીંગો પછી પાલિકા દ્વારા 11 કરોડ ભરવામાં આવ્યા હતા,પરંતુ બાકીની લેણી રકમ પણ અધધધ કહી શકાય એવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંજાર નગરપાલિકા દ્વારા વીજબિલ ભરવામાં આળસ દાખવવામાં આવી રહી છે.

આ સ્થિતિમાં વીજકંપની પાલિકાના કનેક્શન કાપી નાખવા માંગે છે પરંતુ લોકોને મુશ્કેલી પડતી હોવાને કારણે કડક પગલાં ભરવાને બદલે બાકી લેણું પૂરું કરવા સતત નોટિસો આપવામાં આવી રહી છે. આ અંગે અંજાર પાલિકાના જવાબદારોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અંજાર પાલિકા દ્વારા સમયસર વીજબિલ ભરવાના પ્રયાસો થયા જ છે અને ધીમેધીમે અગાઉની બાકી રકમ ભરવામાં આવી રહી છે.

આ સિવાય શહેરીજનોને સમસ્યા ન થાય તે માટે વીજકંપની સાથે વાટાઘાટો પણ કરવામાં આવી છે. અંજારપાલિકા દ્વારા હાલમાં જારી વેરા વસૂલાતની કામગીરી બાદ વીજકંપનીના લેણા સંદર્ભે પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું હતું. ગઇ કાલે વીજકંપની દ્વારા ભુજ પાલિકા હસ્તકના પાણી વિતરણના 9 જોડાણ કાપી દેવાયા છે ત્યારે આગામી દિવસોમાં અન્ય પાલિકાઓ માં પણ કડક કાર્યવાહીના સંકેત છે. આ સ્થિતિમાં લોકોને અગવડ ન પડે તે માટે અંજાર પાલિકા વીજકંપનીના બાકી લેણા સંદર્ભે યોગ્ય કામગીરી કરે તે જરૂરી બની ગયું છે.

બુધવારે 7 જોડાણ કાપી દેવાયા હતા
અંજાર શહેર પેટા વિભાગના વડા એમ.એચ. પટેલના જણાવ્યાનુસાર, સતત નોટિસ બાદ પણ લેણી રકમ ભરવામાં ન આવતા વીજ કંપની દ્વારા અંજાર પાલિકા હસ્તકના પાણી વિતરણ માટેના 7 જોડાણ કાપી દેવામાં આવ્યા હતા. બાદમાં, પાલિકાના જવાબદારોની ટૂંક સમયમાં વીજબિલ ભરી દેવાની બાહેધરી મળતા જનહિતને ધ્યાને રાખીને આ કપાયેલા જોડાણ પુનઃ જોડી દેવાયા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow