ઈન્કમટેક્સ રિટર્ન હજુ સુધી 27% કરદાતાઓએ ફાઈલ કર્યું નથી

ઈન્કમટેક્સ રિટર્ન હજુ સુધી 27% કરદાતાઓએ ફાઈલ કર્યું નથી

હવે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે, પરંતુ અત્યાર સુધી 27% કરદાતાઓએ તેમનું ITR ફાઈલ કર્યુ નથી. અન્ય 14% કરદાતાઓ કહે છે કે તેઓ 31 જુલાઈની સમયમર્યાદા સુધીમાં ટેક્સ ફાઈલ કરી શકશે નહીં.

આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલ્સના સર્વેમાં સામે આવી છે. જો 31 જુલાઈ પછી રિટર્ન ફાઈલ કરવામાં આવે તો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

લોકલ સર્કલ્સના સર્વેમાં ITR ફાઈલ ન થઈ શકવાનું કારણ ચોમાસાના વરસાદને દર્શાવવામાં આવી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના લોકો તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદાને 2 અઠવાડિયા સુધી લંબાવવા માંગે છે, કારણ કે પૂર અને પાવર કટના કારણે આમ કરવું મુશ્કેલ બની ગયું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow