26318 વિદ્યાર્થીઓ આજે જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે

26318 વિદ્યાર્થીઓ આજે જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ, ટ્રાયલબ રેસીડેન્સિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલના ધો.6માં પ્રવેશ માટે આજે કોમન પ્રવેશ પરીક્ષા લેવાશે. રાજકોટ જિલ્લામાં 26318 વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ અપાશે. બપોરે 12 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે અને ધોરણ 5ના અભ્યાસક્રમના આધારે એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.

રાજકોટમાં 132 કેન્દ્ર પર પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા કરવામાં આવી છે. આ તમામ શાળાઓ ધોરણ 6થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. આ શાળામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ‌ 1થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.

આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. જોકે સરકારના આ જ્ઞાનસેતુ સ્કૂલ સામે રાજ્યમાં શાળા સંચાલક મંડળો, શિક્ષણવિદો સહિતનાઓએ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ શાળાઓ અમલમાં આવ્યા બાદ સરકારી શાળા ખતમ થશે. કેટલાકે કહ્યું હતું કે, જ્ઞાનસેતુ શાળા બનાવવાને બદલે સરકારી શાળા પાછળ ખર્ચો કરવામાં આવે. પરંતુ વિરોધ વચ્ચે આજે રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow