જસદણની ફ્લોર મિલમાંથી 25 હજારની રોકડની ઉઠાંતરી

જસદણની ફ્લોર મિલમાંથી 25 હજારની રોકડની ઉઠાંતરી

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલી ફ્લોરમીલમાંથી ત્યાં ઓપરેટર તરીકે કામ કરતા પરપ્રાંતીય પરિવારે માલિકે ખાનામાં રાખેલા રૂ.25 હજારની ચોરી કરી નાસી છૂટ્યા અંગેની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ફરિયાદી હિતેષભાઈ નારણભાઈ ભુવા(ઉ.વ.32)(રહે-ચિત લીયા રોડ, ગજાનન રેસીડન્સી, ફલેટ નં.102, જસદણ) એ જણાવ્યું હતું કે, તેઓ જસદણમાં બજરંગ પાર્કમાં સ્વરા એકસપોર્ટ નામે ફલોરમીલ અને વૃંદાવન ખાનગી સ્કૂલનું સંચાલન કરે છે.

ફલોરમીલમાં મશીન ઓપરેટર તરીકે મૂળ મીરઝાપુરનો રાજુ ઉર્ફે રાજકુમાર શીલાજીતકુમાર છેલ્લા 6 મહીનાથી કામ કરતો હતો અને તે પરિવાર સાથે ત્યાં જ રહેતો હતો. દરમિયાન ગત તા.25 ના રોજ ફલોરમીલના હીસાબ પેટે રૂ.25 હજાર રોકડા આવેલા હતા. બાદમાં તેઓ તેની સ્કૂલે ગયા હતા. બાદમાં સાંજના 6 વાગ્યે ફરિયાદી ફલોરમીલ ખાતે ગયા તો તેના ઓપરેટર રાજુ ઉર્ફે રાજકુમાર અને તેનો પરિવાર જોવામાં આવ્યો નહી. જેથી તેને ફોન કરતા તે રાશન લેવા ગયો છે, તેવું કહ્યું હતું અને મિલ બંધ કરી દીધી હતી.

બાદમાં ખાનામાં તપાસ કરતા તેમાં રાખેલા રૂ.25 હજાર ગાયબ થઈ ગયા હતા. જે બાબતે રાજુની તપાસ કરતા તે મળી આવેલ નહીં અને રૂ.25 હજારની ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ પરથી જસદણ પોલીસે ફલોરમીલમાં રહેલા સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર પરિવારને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow