કોરોનાના 14 નવા પોઝિટિવ સામે 25 સાજા થયા

કોરોનાના 14 નવા પોઝિટિવ સામે 25 સાજા થયા

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા લાગતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. મંગળવારે કોરોનાના 14 નવા કેસ આવ્યા હતા જેની સામે 25 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 129 થઈ છે. આ સાથે કોરોના કેસનો આ વર્ષનો કુલ આંક 360 થયો છે. માર્ચ માસમાં કોરોનાના કેસમાં એકદમથી ઉછાળો આવ્યો હતો જેને કારણે એક જ માસમાં 300 કેસ નોંધાયા હતા.

જોકે એપ્રિલ માસ શરૂ થતાં જ કેસમાં ઘટાડો આવ્યો છે અને સામે ડિસ્ચાર્જની સંખ્યા વધવાને કારણે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. માર્ચ માસમાં કેસ બમણા થવાનો દર એટલે કે ડબલિંગ રેટ 5 જ દિવસ થઈ ગયો હતો પણ એપ્રિલ આવતા જ આ દર 16 દિવસ થયો છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેશિયો પણ આરટીપીસીઆરમાં વધારે જોવા મળ્યો હતો પણ હવે 3.75 ટકાની આસપાસ થયો છે. માર્ચના અંત સુધીમાં એક્ટિવ કેસ 170ની આસપાસ હતા જે હવે ઘટીને 129 થઈ છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow