રાજકોટના વેપારી સાથે 25.53 લાખની ઠગાઇ

રાજકોટના વેપારી સાથે 25.53 લાખની ઠગાઇ

શહેરના આર.કે. નગર મેઇન રોડ પર ભગતસિંહ ટાઉનશિપમાં રહેતા અને શ્રીજી કોર્પોરેશનના નામથી સર્જિકલ પ્રોડક્ટનો ભાગીદારીમાં વેપાર કરતા ભૌતિકભાઇ ગોપાલભાઇ કરકરે નીરવ કાનજી ચભાડિયા, ભક્તિનગર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી વી ટ્રાન્સ ઇન્ડિયા લિ.ના મેનેજર સહિતનાઓ સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ પૂર્વે આરોપી નીરવે પોતાનો નંબર મેળવી રૂ.25.53 લાખની કિંમતના છ લાખ ગ્લોવ્ઝનો ઓર્ડર આપ્યો હતો. તેને ચેકનો ફોટો મોકલી ટ્રાન્સપોર્ટમાં માલ મોકલી આપવા કહ્યું હતું.

જેથી તે માલ આગ્રા ખાતે મોકલી આપ્યા બાદ આરોપીએ બતાવેલો ચેક પોતાને નહિ મળતા તેને કોરોનાનું કારણ આગળ ધર્યુ હતું. પૈસા ન મળવાને કારણે માલ પરત મેળવવા માટે ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા માલ આગ્રાને બદલે મથુરા પહોંચી ગયો હોવાનું અને નીરવ ચભાડિયાએ કોઇ કાગળો બતાવ્યા વગર માલ છોડાવી લીધો હોવાનું જાણવા મળ્યું. બાદમાં ટ્રાન્સપોર્ટ ઓફિસે જઇને વાત કરતા તેમને માલ પરત અપાવી દેવાની વાત કરી હતી. નીરવે ન રૂપિયા ચૂકવ્યા કે ટ્રાન્સપોર્ટવાળાએ માલ પરત નહિ અપાવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow