રાજકોટના વેપારી સાથે 25.53 લાખની ઠગાઇ

રાજકોટના વેપારી સાથે 25.53 લાખની ઠગાઇ

શહેરના આર.કે. નગર મેઇન રોડ પર ભગતસિંહ ટાઉનશિપમાં રહેતા અને શ્રીજી કોર્પોરેશનના નામથી સર્જિકલ પ્રોડક્ટનો ભાગીદારીમાં વેપાર કરતા ભૌતિકભાઇ ગોપાલભાઇ કરકરે નીરવ કાનજી ચભાડિયા, ભક્તિનગર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી વી ટ્રાન્સ ઇન્ડિયા લિ.ના મેનેજર સહિતનાઓ સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ પૂર્વે આરોપી નીરવે પોતાનો નંબર મેળવી રૂ.25.53 લાખની કિંમતના છ લાખ ગ્લોવ્ઝનો ઓર્ડર આપ્યો હતો. તેને ચેકનો ફોટો મોકલી ટ્રાન્સપોર્ટમાં માલ મોકલી આપવા કહ્યું હતું.

જેથી તે માલ આગ્રા ખાતે મોકલી આપ્યા બાદ આરોપીએ બતાવેલો ચેક પોતાને નહિ મળતા તેને કોરોનાનું કારણ આગળ ધર્યુ હતું. પૈસા ન મળવાને કારણે માલ પરત મેળવવા માટે ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા માલ આગ્રાને બદલે મથુરા પહોંચી ગયો હોવાનું અને નીરવ ચભાડિયાએ કોઇ કાગળો બતાવ્યા વગર માલ છોડાવી લીધો હોવાનું જાણવા મળ્યું. બાદમાં ટ્રાન્સપોર્ટ ઓફિસે જઇને વાત કરતા તેમને માલ પરત અપાવી દેવાની વાત કરી હતી. નીરવે ન રૂપિયા ચૂકવ્યા કે ટ્રાન્સપોર્ટવાળાએ માલ પરત નહિ અપાવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow