14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

આરબીઆઈએ દેશના નાણાકીય ક્ષેત્રની વિસ્તૃત રિસ્ક પ્રોફાઈલ તૈયાર કરી છે. આરબીઆઈના આ ‘ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’માં કહેવાયું છે કે 14 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ના કુલ 24 મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણું વધી ગયું છે. તેમાં લોકોએ રૂ. 1.65 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

આ રિપોર્ટ પ્રમાણે વ્યાજદર વધવાથી નાણાકીય ક્ષેત્ર પર સીધી અસર પડે છે. દેશની કુલ 44 એએમસીમાંથી 43ના ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. દેશમાં આવી કુલ 295 સ્કીમ છે, જેમાં રોકાણકારોના કુલ રૂ. 10.95 લાખ કરોડ જમા છે.

ત્રણ સરકારી વીમા કંપનીઓ પણ ‘લાલ નિશાન’ના દાયરામાં | દેશમાં વીમા ક્ષેત્રની કુલ ચાર સરકારી કંપની છે, જેમાંથી ત્રણને આરબીઆઈએ ‘લાલ નિશાન’ના દાયરામાં મૂકી છે. જોકે તેના નામ નથી જણાવાયા. સરકારી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો માર્ચ 2022માં 93 હતો, જે હવે 62 છે. બીજી તરફ, ખાનગી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 220થી વધીને 225 થઈ ગયો છે. આરોગ્ય વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 171થી વધીને 212 થઈ ગયો છે. આરબીઆઈનું આકલન છે કે ત્રણ સરકારી કંપનીઓ ચુકવણી વખતે સંકટમાં મુકાઈ શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow