14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

આરબીઆઈએ દેશના નાણાકીય ક્ષેત્રની વિસ્તૃત રિસ્ક પ્રોફાઈલ તૈયાર કરી છે. આરબીઆઈના આ ‘ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’માં કહેવાયું છે કે 14 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ના કુલ 24 મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણું વધી ગયું છે. તેમાં લોકોએ રૂ. 1.65 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

આ રિપોર્ટ પ્રમાણે વ્યાજદર વધવાથી નાણાકીય ક્ષેત્ર પર સીધી અસર પડે છે. દેશની કુલ 44 એએમસીમાંથી 43ના ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. દેશમાં આવી કુલ 295 સ્કીમ છે, જેમાં રોકાણકારોના કુલ રૂ. 10.95 લાખ કરોડ જમા છે.

ત્રણ સરકારી વીમા કંપનીઓ પણ ‘લાલ નિશાન’ના દાયરામાં | દેશમાં વીમા ક્ષેત્રની કુલ ચાર સરકારી કંપની છે, જેમાંથી ત્રણને આરબીઆઈએ ‘લાલ નિશાન’ના દાયરામાં મૂકી છે. જોકે તેના નામ નથી જણાવાયા. સરકારી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો માર્ચ 2022માં 93 હતો, જે હવે 62 છે. બીજી તરફ, ખાનગી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 220થી વધીને 225 થઈ ગયો છે. આરોગ્ય વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 171થી વધીને 212 થઈ ગયો છે. આરબીઆઈનું આકલન છે કે ત્રણ સરકારી કંપનીઓ ચુકવણી વખતે સંકટમાં મુકાઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow