14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

14 એસેટ મેનેજમેન્ટ કંપનીનાં 24 મ્યુચ્યુઅલ ફંડ ખતરામાં: આરબીઆઇ

આરબીઆઈએ દેશના નાણાકીય ક્ષેત્રની વિસ્તૃત રિસ્ક પ્રોફાઈલ તૈયાર કરી છે. આરબીઆઈના આ ‘ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’માં કહેવાયું છે કે 14 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ના કુલ 24 મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણું વધી ગયું છે. તેમાં લોકોએ રૂ. 1.65 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

આ રિપોર્ટ પ્રમાણે વ્યાજદર વધવાથી નાણાકીય ક્ષેત્ર પર સીધી અસર પડે છે. દેશની કુલ 44 એએમસીમાંથી 43ના ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. દેશમાં આવી કુલ 295 સ્કીમ છે, જેમાં રોકાણકારોના કુલ રૂ. 10.95 લાખ કરોડ જમા છે.

ત્રણ સરકારી વીમા કંપનીઓ પણ ‘લાલ નિશાન’ના દાયરામાં | દેશમાં વીમા ક્ષેત્રની કુલ ચાર સરકારી કંપની છે, જેમાંથી ત્રણને આરબીઆઈએ ‘લાલ નિશાન’ના દાયરામાં મૂકી છે. જોકે તેના નામ નથી જણાવાયા. સરકારી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો માર્ચ 2022માં 93 હતો, જે હવે 62 છે. બીજી તરફ, ખાનગી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 220થી વધીને 225 થઈ ગયો છે. આરોગ્ય વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 171થી વધીને 212 થઈ ગયો છે. આરબીઆઈનું આકલન છે કે ત્રણ સરકારી કંપનીઓ ચુકવણી વખતે સંકટમાં મુકાઈ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow