ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં 238નાં મોત

ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં 238નાં મોત

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે થયો હતો.

રેલવેના જણાવ્યા અનુસાર કોલકાતા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. તેના કેટલાક કોચ બીજા ટ્રેક પર પલટી ગયા અને બીજી બાજુથી આવતી શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ. આ પછી કોરોમંડલ ટ્રેનના કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ બોગી અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. કેટલીક બોગી માલગાડીની ઉપર ચઢી ગઈ હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow