કોમ્પલેક્સમાં ચાલતી જુગાર ક્લબમાંથી રૂ.7 લાખના મુદ્દામાલ સાથે 21 ઝડપાયા

કોમ્પલેક્સમાં ચાલતી જુગાર ક્લબમાંથી રૂ.7 લાખના મુદ્દામાલ સાથે 21 ઝડપાયા

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના દૂધસાગર રોડ પરના રબ્બાની કોમ્પ્લેક્સની દુકાનમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી જુગટું રમી રહેલા 21 ઇસમોને રૂ.7.03 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, ક્લબ ચલાવનાર ત્રિપુટી પોલીસને હાથ આવી નહોતી અને આ વિસ્તારના રાજકીય આગેવાનના આશીર્વાદથી ક્લબ શરૂ થયાની ચર્ચાએ જોર પકડતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

રાજકોટ ડેરી પાસેની ફારૂકી મસ્જિદ નજીક આવેલા રબ્બાની કોમ્પ્લેક્સની દુકાનોમાં જુગાર રમાઇ રહ્યાની માહિતી મળતાં ક્રાઇમબ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતની ટીમ દોડી ગઇ હતી, પોલીસ પહોંચતા જ જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી, પોલીસે જુગાર રમી રહેલા 21 ઇસમોને પકડી લઇ 23 મોબાઇલ, 7 બાઇક, રોકડા રૂ.1.91 લાખ સહિત કુલ રૂ.7.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે જુગાર રમતા ઝડપાયેલાઓની પૂછપરછ કરતાં શાહબાઝ, જયેશ ઓડ અને સૌકેત કરગથરા જુગાર રમાડતા હોવાનું ખુલ્યું હતું, જોકે આ ત્રણ શખ્સો સ્થળ પરથી પોલીસને મળ્યા નહોતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અઠવાડિયાથી તીનપત્તીનો જુગાર રમાડાતો હતો, બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો, અઠવાડિયાથી ક્લબ ધમધમતી હતી છતાં સ્થાનિક થોરાળા પોલીસને આ અંગે જાણ ન હોય તે બાબત શંકાસ્પદ છે અને સ્થાનિક પોલીસ સામે પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા,

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow