મેહોણાવાળાના 21,138 કરોડ બેન્કોમાં પડ્યા છે

મેહોણાવાળાના 21,138 કરોડ બેન્કોમાં પડ્યા છે

મહેસાણા જિલ્લાવાસીઓ માસિક આવક સામે જીવનજરૂરી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ અને ક્ષમતા પ્રમાણે મોજ-શોખની સાથે સારી એવી બચત પણ કરે છે. જિલ્લામાં વિવિધ 36 બેંકોની 385 શાખાઓ છે, જેમાં 30 સપ્ટેમ્બરની સ્થિતિએ અધધધ રૂ.21,138.1 કરોડની રકમ જમા (ડિપોઝિટ) પડી છે. એમાંયે સૌથી વધુ જમા રકમમાં મહેસાણા તાલુકાની 121 શાખામાં રૂ.8095.85 કરોડ અને સૌથી ઓછા જોટાણા તાલુકાની 5 શાખામાં રૂ.146.14 કરોડ જમા પડ્યા છે.

જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેંકની સૌથી વધુ 62 શાખા, બરોડા બેંકની 56, ગ્રામિણ બેંકની 48, એસબીઆઇની 34, એચડીએફસીની 20, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની 18, બેંક ઓફ ઇન્ડીયાની 17, પંજાબ નેશનલ બેંકની 14, એક્સિસ બેંકની 13 તેમજ બંધન બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને યશ બેંકની 10-10 શાખાઓ છે. 22 બેંકોની 10 કરતાં ઓછી શાખા છે.

બેંક ડિપોઝિટમાં મહેસાણા પછી કડી, વિસનગર, વિજાપુર અને ઊંઝા 5મા ક્રમે જિલ્લામાં કુલ 385 બેંક શાખાઓ પૈકી જિલ્લા મથક મહેસાણા શહેર અને તાલુકામાં સૌથી વધુ એટલે કે ત્રીજા ભાગની 121 શાખાઓ આવેલી છે. આ શાખાઓના ખાતાઓમાં સૌથી વધુ રકમ ડિપોઝિટ થાય છે.

ત્યાર પછી રૂ.2000 કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતાં તાલુકાઓમાં કડી બીજા, વિસનગર ત્રીજા, વિસનગર ચોથા ક્રમે છે. ગત 30 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાની શાખાઓમાં ડિપોઝિટની સ્થિતિમાં જીરૂના હબ ઊંઝા તાલુકાની બેંકોમાં કુલ રૂ.2355.43 કરોડ ડિપોઝિટ દર્શાવેલી છે. જિલ્લામાં ડિપોઝિટની દ્રષ્ટીએ ઊંઝા તાલુકો 5મા ક્રમે છે.

જિલ્લાની બેંકોમાં ડિપોઝિટ
તાલુકોશાખાજમા રકમ
મહેસાણા121રૂ.8095.85 કરોડ
કડી53રૂ.2889.89 કરોડ
વિસનગર45રૂ.2789.75 કરોડ
વિજાપુર55રૂ.2361.1 કરોડ
ઊંઝા46રૂ.2355.43 કરોડ
બહુચરાજી15રૂ.851.99 કરોડ
ખેરાલુ19રૂ.703.85 કરોડ
વડનગર18રૂ.655.86 કરોડ
સતલાસણા8રૂ.288.24 કરોડ
જોટાણા5રૂ.146.14 કરોડ

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow