ખોદકામ કરતાં 2000 વર્ષ જૂની મૂર્તિઓ મળી આવી, સોના-ચાંદીનાં સિક્કાઓથી ઢંકાયેલા હતાં ભગવાન

ખોદકામ કરતાં 2000 વર્ષ જૂની મૂર્તિઓ મળી આવી, સોના-ચાંદીનાં સિક્કાઓથી ઢંકાયેલા હતાં ભગવાન

પુરાતત્વવિદોએ પાણીમાં સારી રીતે સંરક્ષિત 2 ડઝનથી પણ વધુ કાંસ્યની ગ્રીક- રોમન દેવતાઓની મૂર્તિઓને શોધી કાઢી છે. માહિતી અનુસાર આ મૂર્તિઓ 2 હજાર વર્ષથી પણ વધુ જૂની જોવા મળે છે. ઇટલીમાં ખોદકામ દરમિયાન આ મૂર્તિઓના એક્સપર્ટે મૂર્તિઓ વિશે માહિતી આપી હતી.

ઇટલીમાંથી મળી આવી આ મૂર્તિઓ‌‌આ પૌરાણિક મૂર્તિઓ ઇટલીનાં સિએના પ્રાંત ટસ્કની વિસ્તારમાંથી મળી આવી છે. આ શહેર રોમથી આશરે 160 કિલોમીટર ઉત્તરમાં છે. આ વિસ્તારને વર્ષ 2019થી પુરાતત્વવિદો એક પ્રાચીન સ્નાનાગરને એક્સપ્લોર કરી રહ્યાં છે. સિએનાનાં યૂનિવર્સિટી ફોર ફોરેનર્સનાં અસિસ્ટન્ટ પ્રોફેસર જૈકોપો તબોલી આ ખોદકામને કોર્ડિનેટ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ અતિ મહત્વપૂર્ણ અને અસાધારણ શોધ છે.

‌‌ભૂમધ્યસાગરીયનાં ઇતિહાસની સૌથી અદ્ભૂત શોધ‌‌ક્લચર મિનિસ્ટ્રીનાં એક ટોપ અધિકારી માસ્સિમો ઓસાનાએ આ મૂર્તિઓની શોધને પ્રાચીન ભૂમધ્યસાગરીયનાં ઇતિહાસની સૌથી અદ્ભૂત શોધમાંથી એક જણાવી છે. ઓસાનાએ આ રિયાસ બ્રોન્ઝની શોધ બાદ આ સૌથી મહત્વપૂર્ણ શોધખોળ છે. તે દરમિયાન પ્રાચીન યૂનાની યોદ્ધાઓની એક વિશાળ જોડી મળી આવી હતી. વર્ષ 1972માં ઇટલીનાં એક સમુદ્રકિનારા પથી તેને નિકાળવામાં આવી હતી.  

મૂર્તિઓને પહેલાં મંદિરોમાં સજાવવામાં આવી હતી‌‌

તબોલીએ કહ્યું કે હાઇજીયા, અપોલો અને બીજા ગ્રીક- રોમન દેવતાઓની આ મૂર્તિઓને પહેલાં મંદિરોમાં સજાવીને મૂકવામાં આવતી હતી. પરંતુ લાગે છે કે પહેલી શતાબ્દી દરમિયાન જ એક ધાર્મિક અનુષ્ઠાનમાં આ મૂર્તિઓને ગરમ પાણીમાં વિસર્જિત કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે મૂર્તિઓને એટલા માટે પાણીમાં વિસર્જિત કરાઇ હતી કારણકે તેમને એવી આશા રહેતી હતી કે જળ તેમને કંઇક આપશે.‌

આ મૂર્તિઓ સિક્કાઓથી ઢંકાયેલી હતી‌‌તબોલીએ કહ્યું કે આ મૂર્તિઓ આશરે 6000 કાંસ્ય, ચાંદી અને સોનાનાં સિક્કાઓથી ઢંકાયેલી હતી. સેન કૈસિયાનોનાં ગંદા ગરમ પાણીએ તેને સંરક્ષિત કરી છે. પુરાતત્વવિદોએ જણાવ્યું કે તેમની ટીમને 24 મોટી મૂર્તિઓ મળી આવી છે. આ સિવાય કાંસ્યની કેટલીક અને અમુક નાની-નાની મૂર્તિઓ પ્રાપ્ત થઇ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow