ઘોડિયામાં સૂતેલી બાળકીને અડપલાં કરતાં વર્ષના ખેતર માલિકને 20 વર્ષની કેદ

ઘોડિયામાં સૂતેલી બાળકીને અડપલાં કરતાં  વર્ષના ખેતર માલિકને 20 વર્ષની કેદ

બે વર્ષ અગાઉ લાખણીના ખેરોલા ગામમાં ઘોડીયામાં સૂતેલી 13 મહિનાની માસૂમ બાળકીને અડપલા કરનાર વિકૃત આધેડને દિયોદર સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. લાખણી તાલુકાના ખેરોલા ગામમાં બે વર્ષ અગાઉ 14 માર્ચ 2021ના રોજ 13 માસની દીકરી ઘોડિયામાં સૂતી હતી અને તેની માતા બાજુના ખેતરમાં છાશ લેવા માટે ગયા હતા.

તે દરમિયાન 55 વર્ષનો ખેતર માલિક હીરાભાઈ ચેલાભાઈ રબારીએ આવી ઘોડિયામાં સૂતેલી 13 માસની દીકરીના ગુપ્ત ભાગે અડપલા કરી ઇજા પહોંચાડી હતી. જે બાદ બાળકી રડવા લાગી અને મેડિકલ તપાસ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગ અડપલા કર્યાનું ખુલતા માસૂમ દીકરીની માતાએ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ઘોડીયામાં સૂતેલી બાળકીને અડપલા કર્યા
આ અંગેનો કેસ શુક્રવારે દિયોદર એડિશનલ સેશન જજ કે.એસ.હિરપરાની કોર્ટમાં ચાલી જતા ફરજ પરના સરકારી વકીલ ડીવી ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી હીરાભાઈ ચેલાભાઈ રબારીને 20 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનારની માતાને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

વિકૃત આધેડને દિયોદર સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
આરોપી સામે 12 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડ્યા હતા. દૂરથી માતા જોઈ ગઈ હતી, બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળ્યું : ઘટના બે વર્ષ જૂની છે ખેતરમાં ઘોડિયામાં બાળકી સાથે ગંદી હરકત કરતા તેની માતા જોઈ ગઈ હતી નજીક આવીને જોયું તો બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તમામ પુરાવાઓના આધારે આરોપીને 20 વર્ષની સજા થઈ હતી ખરેખર આવા કિસ્સામાં ફાંસીની જરૂર હતી.
આરોપીને પત્ની કે સંતાનો નથી
વિકૃતિની પરાકાષ્ઠા દર્શાવનાર ખેતરમાં એકલો જ રહેતો હતો. તેને પત્ની કે બાળકો નહોતા, અને હવે તે 20 વર્ષ સુધી જેલમાં રહેશે.

સમાજ માટે કલંકરૂપ ઘટના

સમાજ માટે આ એક કલંકૃપ ઘટના છે નાના બાળકોને પોતાની કોઈ સલામતી નથી ? કોના ઉપર વિશ્વાસ રાખવો? આ ભોગ બનનાર બાળક હજુ તેની માતા કે પિતાને ઓળખતું પણ નથી આવા નાના બાળકને પણ ભોગ બનવું પડે છે આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે, આવા વાસના ભૂખ્યા હેવાન વરુઓને સખતમાં સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ તેથી નાના બાળકોની પૂરતી સલામતી રહે અને આવા ગંભીર ગુનાઓનું પ્રમાણ ઓછું થાય. એમ ડી.વી ઠાકોર સરકારી વકીલે કહ્યું હતું.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow