બળવાખોરોના વિસ્તારમાં હેલિકોપ્ટરથી 20 મિનિટ સુધી ફાયરિંગ

બળવાખોરોના વિસ્તારમાં હેલિકોપ્ટરથી 20 મિનિટ સુધી ફાયરિંગ

મંગળવારે મ્યાનમારની સેનાના હવાઈ હુમલામાં 53 લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 15 મહિલાઓ અને કેટલાક બાળકોનો સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ મૃત્યુઆંક વધી પણ શકે છે.

સેનાએ આ હવાઈ હુમલા બળવાખોરોનો ગઢ ગણાતા પાજીગી વિસ્તારમાં કર્યા હતા, જે ત્યાંના સાગૈંગ પ્રાંતમાં છે. હુમલા સમયે એક ઓફિસના ઉદ્ઘાટન માટે લોકો એકઠા થયા હતા. બે વર્ષ પહેલા થયેલા બળવા બાદ આ સેનાનો સૌથી મોટો હુમલો ગણાવામાં આવી રહ્યો છે.

હુમલા દરમિયાન હાજર એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે સવારે 7 વાગ્યે સેનાનું એક જેટ ગામમાં આવ્યું. તેણે બોમ્બ ફેંક્યો, ત્યારપછી કેટલાય હેલિકોપ્ટરથી ફાયરિંગ શરૂ થયું. આ ગોળીબાર સતત 20 મિનિટ સુધી ચાલુ રહ્યો.

નજીકમાં રહેતા લોકોએ તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં ચારેબાજુ મૃતદેહો દેખાય છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, તેઓએ મૃતદેહોની ગણતરી શરૂ કરી, પરંતુ શરીરના અંગો અલગ-અલગ જગ્યાએ ફેલાયેલા હોવાના કારણે તેઓ ગણતરી કરી શક્યા નહીં.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow