મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન હાલતમાં ફેરવી, બેની ધરપકડ

મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન હાલતમાં ફેરવી, બેની ધરપકડ

મણિપુરમાં ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવાની ઘટના સામે આવી હતી. આ ઘટના રાજધાની ઇમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હતી. તેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વીડિયો જોઈને ખૂબ જ પરેશાન છીએ. અમે સરકારને પગલાં ભરવા માટે સમય આપીએ છીએ. જો તેમ છતા કોઈપણ કાર્યવાહી નહીં થાય, તો અમે પગલાં ભરીશું. આ તરફ પીએમ મોદીએ પણ કહ્યું કે આ ઘટનાએ 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.

મણિપુર પોલીસે અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ ચાલુ છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું છે કે અમે તમામ આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું.

મણિપુરની ઘટના પર મોદીએ કહ્યું- 'મારું હૃદય દ્રવી ઉઠ્યું છે, ગુનેગારોને છોડવામાં નહીં આવે'

પીએમ મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 'મારું હૃદય દ્રવી ઉઠ્યું છે,ગુનેગારોને છોડવામાં નહીં આવે. મણિપુરની ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે.

આ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. હું તમામ મુખ્યમંત્રીઓને કાયદો અને વ્યવસ્થા કડક કરવા કહું છું. માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં ભરો. આ દેશમાં, ભારતના કોઈપણ ખૂણામાં કે કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર, કાયદો અને વ્યવસ્થા અને બહેનોનું સન્માન પ્રાથમિકતા છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મણિપુરની દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow