16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન રદ, 8 આંશિક રદ

16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન રદ, 8 આંશિક રદ

16 જાન્યુઆરી સુધી રેલવે વ્યવહાર ખોરવાશે, જેને કારણે 2 ટ્રેન રદ કરાઇ છે, અમુક મોડી પડશે. જ્યારે અમુક આંશિક રદ કરાઇ છે. વડોદરા-જામનગર ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અને જામનગર-વડોદરા ઈન્ટરસિટી 6થી 16 જાન્યુઆરી સુધી રદ કરાઈ છે, જ્યારે 8 આંશિક રદ કરી છે અને 7 ટ્રેન માર્ગમાં 20 મિનિટ સુધી મોડી પડશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, જે 7 ટ્રેન મોડી થવાની છે તેમાં 5 અને 12 જાન્યુઆરીએ ઓખા-વારાણસી એક્સપ્રેસ ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને હાપા-મડગાંવ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને જામનગર- તિરુનેલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.


રાજકોટ આવતી-જતી 7 ટ્રેન 20 મિનિટ સુધી મોડી પડશે

  • ભાવનગર-ઓખા એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી જશે. સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ઓખા-ભાવનગર 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી ભાવનગર જશે. ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 4થી 14 જાન્યુઆરી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ જશે. હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે.
  • અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી જશે, સુરેન્દ્રનગર-વેરાવળ રદ રહેશે.
  • વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 5થી 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી અમદાવાદ જશે. વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 5, 7, 9, 12 અને 14 જાન્યુઆરી બાંદ્રાથી સુરેન્દ્રનગર જશે. સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રદ રહેશે.
  • જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 6, 8, 10, 13 અને 15 જાન્યુઆરી સુરેન્દ્રનગરથી બાંદ્રા જશે. જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow