દેશમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં 2 ટકાની વૃદ્ધિ: SIAM

દેશમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં 2 ટકાની વૃદ્ધિ: SIAM

દેશમાં ઓટો સેક્ટરનો ગ્રોથ પોઝિટીવ રહ્યો છે. સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થઇ જૂન માસમાં 3,27,487 યુનિટ રહ્યાં હોવાનું ઔદ્યોગિક સંસ્થા SIAMએ જણાવ્યું હતું.જે જૂન 2022માં 3,20,985 યુનિટ્સ હતા.સિયામના અહેવાલ મુજબ જૂન માસમાં કુલ ટુ-વ્હીલરનું વેચાણ 2 ટકા વધીને 13,30,826 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 13,08,764 યુનિટ હતું.જ્યારે કુલ થ્રી-વ્હીલરના જથ્થાબંધ વેચાણ જૂન 2022માં 26,701 એકમોની સરખામણીમાં આ વર્ષે જુનમાં લગભગ બે ગણા વધી 53,019 એકમો રહ્યાં હતા.

એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન, પેસેન્જર વાહનોનું વેચાણ 9 ટકા વધીને 9,95,974 યુનિટ થયું હતું, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 9,10,495 યુનિટ હતું. જૂન ક્વાર્ટરમાં ટુ-વ્હીલરનું કુલ વેચાણ 11 ટકા વધીને 41,40,964 યુનિટ થયું છે, જે એક વર્ષ અગાઉના ગાળામાં 37,24,533 યુનિટ હતું.કોર્મશિયલ વાહનોનું વેચાણ ઘટીને 2,17,046 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,24,488 યુનિટ હતું.

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કુલ થ્રી-વ્હીલર ડિસ્પેચ વધીને 1,44,475 યુનિટ થઈ ગયા, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 76,293 યુનિટ હતા. જૂન ક્વાર્ટરમાં કુલ વેચાણ વધીને 54,98,602 યુનિટ થયું હતું, જે ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળામાં 49,35,910 યુનિટ હતું. સિયામના પ્રમુખ વિનોદ અગ્રવાલે જણાવ્યું કે એકંદરે પેસેન્જર વાહનો ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલરોએ 2023-24ના Q1 માં સારું પ્રદર્શન કર્યું છે, જોકે કેટલાક સેમી સેગમેન્ટમાં ગયા વર્ષના Q1ની તુલનામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. દેશભરમાં અપેક્ષા કરતા ચોમાસાની સારી શરૂઆત સાથે સાથે ફુગાવો ઘટ્યો છે ઉદ્યોગને અપેક્ષા છે કે અર્થતંત્ર સતત વૃદ્ધિ પામશે જેનો સીધો ફાયદો ઓટો સેક્ટરને મળે તેવો અંદાજ છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow