નેવૈદ્ય કરવા ગયેલા પરિવારના મકાનમાં 2.72 લાખની ચોરી

નેવૈદ્ય કરવા ગયેલા પરિવારના મકાનમાં 2.72 લાખની ચોરી

શહેરમાં વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી માલમતાનો હાથફેરો કરી ગયા છે. આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર, માધવવાટિકા-6માં રહી પ્લમ્બિંગનું કામ કરતા સાગરભાઇ મનોજભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મૂળ ગામ જેતપુરમાં માતાજીના નેવૈદ હોય ગત તા.29ની બપોરે ત્રણ વાગ્યે માતા-પિતા સહિતના પરિવારના સભ્યો સાથે જેતપુર ગયા હતા. પ્રસંગ પૂરો કરી તા.30ની બપોરે દોઢ વાગ્યે પરત રાજકોટ આવ્યા ત્યારે બંધ મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.

જેથી ઘરમાં જઇ તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ અને કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા. કબાટની તિજોરી તપાસતા અંદર રાખેલા રૂ.2,72,300ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં ગાયબ હતા. આમ 22 કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા હોય આજી ડેમ પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતા પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટના નિષ્ણાતોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow