સૌરાષ્ટ્ર મેલ, દુરંતો સહિત 18 ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિનથી દોડવા લાગી

સૌરાષ્ટ્ર મેલ, દુરંતો સહિત 18 ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિનથી દોડવા લાગી

ઓખાથી અમદાવાદ સુધીની રેલવે લાઈનનું ઈલેક્ટ્રિફિકેશન કામ સંપૂર્ણ પૂરું થઇ ગયા બાદ રાજકોટ આવતી-જતી 9 જોડી એટલે કે 18 ટ્રેનને ઇલેક્ટ્રિક બૂસ્ટર મળ્યું છે અને તે હવે ઈલેક્ટ્રિક એન્જિન સાથે દોડવા લાગી છે. આ તમામ ટ્રેન હવે ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડવાની હોવાથી અગાઉ ડીઝલની સરખામણીમાં રેલવેને ઇલેક્ટ્રિક એન્જિનથી નાણાંની બચત થશે જ્યારે યાત્રિકોનો સમય બચશે. અગાઉ રાજકોટથી અમદાવાદ સુધી ડીઝલ એન્જિન ટ્રેન દોડાવવામાં આવતી હતી પછી ત્યાંથી એન્જિન બદલી ઇલેક્ટ્રિક એન્જિન સાથે ટ્રેન આગળના રૂટ પર જતી હતી. આ પ્રક્રિયામાં યાત્રિકોનો 20થી 25 મિનિટનો સમય વેડફાતો હતો જેમાંથી હવે મુક્તિ મળી છે. હવે રાજકોટ કે ઓખાથી શરૂ થતી ટ્રેન અહીંથી જ ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડવા લાગી છે.

ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રિફિકેશન કામગીરી પૂર્ણ થવાથી હવે ક્રોસિંગમાં પણ સમય વેડફાશે નહીં. અત્યાર સુધી એક જ ટ્રેક ઉપર સૌથી વધુ ભારણ રહેતું હતું તેના બદલે હવે ડબલ ટ્રેક થઇ જવાથી ટ્રેક ઉપરનું ભારણ પણ ઘટશે. રેલવે અને યાત્રિકોને ટ્રેકના ક્રોસિંગમાં જે સમય વેડફાતો હતો તેમાં પણ ઘણેખરે અંશે રાહત મળશે. રાજકોટ ડિવિઝનમાં 70થી વધુ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ થઇને દોડી રહી છે હવે ડબલ ટ્રેક થવાથી યાત્રિકોના સમય બચવાની સાથે ટ્રેન પણ સમયસર દોડાવી શકાશે. રેલવેને ડીઝલની સરખામણીએ ઈલેક્ટ્રિફિકેશનથી દોડતી ટ્રેન 70% સસ્તી પડશે. રાજકોટથી અમદાવાદ જતા યાત્રિકોને 30થી 45 મિનિટ બચશે, સૌથી મોટો ફાયદો એ થશે કે ઈલેક્ટ્રિફિકેશન થયા બાદ હવા અને અવાજનું પ્રદૂષણ પણ ઘટી જશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow