ભારતની 16 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ જતા અહીં મૂકી દેવાયો તાબડતોબ પ્રતિબંધ, આ રહ્યું લિસ્ટ

નેપાલે 16 ભારતીય કંપનીઓથી દવાઓનાં આયાત પર પ્રતિબંધ લગાવેલ છે. આફ્રિકી દેશોમાં ઉધરસની સીરપથી થયેલ બાળકોની મોત બાદ WHOએ તેના સંબંધિત દવાઓને લઇને ચેતવણી આપી હતી.

WHOનાં એલર્ટ બાદ નેપાલે 16 ભારતીય કંપનીઓથી દવાઓનાં ઇમ્પોર્ટ પર બેન લગાવેલ છે.

પતંજલીની દિવ્ય ફાર્મસી પર પણ બેન
નેપાલ દવા નિયામક સત્તા દ્વારા જાહેર કરવામાં આવેલ લિસ્ટમાં ભારતની ઘણી દવાની કંપનીઓ શામેલ છે.

નેપાલનાં ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની લિસ્ટમાં દિવ્ય ફાર્મસી સહિત 16 ભારતીય દવા કંપનીઓ શામેલ છે. દિવ્ય ફાર્મસી યોગ ગુરૂ રામદેવની પતંજલી પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કરે છે.

બેનની લિસ્ટમાં આ કંપનીઓ
નેપાલ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રતિબંધિત ભારતીય દવા કંપનીઓની લિસ્ટમાં રેડિયંટ પેરેન્ટેરલ્સ લિમિટેડ, મરકરી લેબોરેટીઝ લિમિટેડ, એલાયન્સ બાયોટેક, કેપટેબ બાયોટેક, એગ્લોમેડ લિમિટેડ, જી લેબોરેટરીઝ લિમિટેડ, ડેફોડિલ્સ ફાર્માસ્યુટિક્લસ લિમિટેડ, જીએલએસ ફાર્મા લિમિટેડ, યૂનિજૂલ્સ લાઇફ સાયન્સ લિમિટેડ, કોન્સેપ્ટ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ શામેલ છે.

આ સિવાય આનંદ લાઇફ સાઇંસેજ લિમિટેડ, આઇપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ, કૈડિલા હેલ્થકેર લિમિટેડ, ડાયલ ફાર્માસ્યુટિકલ અને મૈકુર લેબોરેટીઝ લિમિટેડ જેવી મોટી કંપનીઓ પણ બેન લિસ્ટમાં શામેલ છે.

શા માટે કરવામાં આવ્યો પ્રતિબંધ
વિભાગનાં પ્રવક્તા સંતોષ કેસીએ કહ્યું કે દવા કંપનીઓની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓનાં નિરિક્ષણ બાદ જેમણે પોતાના પ્રોડક્ટને અમારા દેશમાં નિકાસ કરવા માટે આવેદન કર્યું હતું અમે તે કંપનીઓની લિસ્ટ જાહેર કરી છે કે જેમણે WHOનાં નિયમોનું પાલન નથી કર્યું.

તપાસ બાદ ફેઇલ થઇ કંપનીઓ
એપ્રિલ અને જૂલાઇમાં વિભાગે દવા નિરીક્ષકોની એક ટીમને એ દવા કંપનીઓની મેન્યુફેક્ચરિંગ યૂનિટની તપાસ કરવા માટે મોકલ્યું હતું જેમણે નેપાલને પોતાની પ્રોડક્ટની આપૂર્તિ કરવા માટે આવેદન કર્યું હતું.

કેટલીક કંપનીઓનાં પ્રોડક્ટ રેગ્યુલેટરી આવશ્યકતાઓનું પાલન નથી કરતાં અને કેટલીક કંપનીઓ સારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું પાલન નથી કરતાં. તેમાંથી કેટલીક કંપનીઓનાા ઉત્પાદકોનાં ઉપયોગ ક્રિટિકલ કેયર, ડેન્ટલ કાર્ટિજ અને ટીકામાં કરવામાં આવે છે.