દેશમાં IASનાં 1472, IPSનાં 864 પદ ખાલી

દેશમાં IASનાં 1472, IPSનાં 864 પદ ખાલી

દેશભરમાં આઈએએસ અને આઈપીએસનાં 2300થી વધુ પદ ખાલી છે. દેશમાં એવું એક પણ રાજ્ય નથી જ્યાં આ બંને માટે મંજૂર પદો માટે વેકેન્સી ન હોય. આઈએએસનાં કુલ 1472 અને આઈપીએસનાં 864 પદ ખાલી છે. કાર્મિક, લોકફરિયાદ તથા પેન્શન મંત્રાલય દ્વારા મળેલી માહિતી અનુસાર દેશભરમાં આઈએએસનાં કુલ મંજૂર પદ 6789 છે જ્યારે આઈપીએસ માટે મંજૂર પદ 4984 છે.

મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું કે આ ઉચ્ચ અધિકારીઓની અછતને કારણે જુદાં જુદાં રાજ્યોમાં વહીવટી અને કાયદો-વ્યવસ્થા સંચાલનમાં તકલીફ પડે છે. ખાલી પદોને ન ભરવાથી વહીવટી કામમાં વિલંબ થાય છે. વર્તમાનમાં અનેક રાજ્યો એવાં છે જેમાં એક આઈએએસ અધિકારી પર અનેક વિભાગોની જવાબદારી છે એટલા માટે કોઈ ને કોઈ વિભાગ એવો રહી જાય છે જ્યાં અપેક્ષા અનુસાર કામ થતાં નથી. ખાસ કરીને અધિકારીઓ રજા પર હોવા કે બીમાર હોવાની સ્થિતિમાં પેન્ડિંગ ફાઈલોની સંખ્યા વધી જાય છે. અનેકવાર સમયસર નિર્ણય ન થવાથી અનેક યોજનાઓ અટકી જાય છે.

કેન્દ્ર-રાજ્યો વચ્ચે પણ અધિકારીઓ અંગે વિવાદ કેન્દ્ર સરકાર અને આઈએએસ અધિકારીઓની બદલીના સંબંધમાં નિયમોમાં ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિવાદ પણ છે. કેન્દ્ર એવો આરોપ મૂકે છે કે રાજ્ય કેન્દ્રમાં નિમણૂક થતા આઈએએસ અધિકારીઓને મોકલવામાં આનાકાની કરે છે. તેનાથી કામકાજ પ્રભાવિત થાય છે. કેન્દ્ર દ્વારા કોઈ અધિકારીની નિમણૂક માગવામાં આવતા તેને રાજ્યમાં કાર્યમુક્ત કરવા ફરજિયાત કરવાનો નિયમ પ્રસ્તાવિત કરાયો છે. કેન્દ્ર કહે છે કે રાજ્યોથી કેન્દ્રમાં નિમણૂક પર આવતા અધિકારીઓની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow