રાજકોટ યાર્ડમાં લાલ મરચાંની 14 હજાર ભારીની આવક થઈ

રાજકોટ યાર્ડમાં લાલ મરચાંની 14 હજાર ભારીની આવક થઈ

રાજકોટ યાર્ડમાં ગુરુવારે 14 હજાર ભારી લાલ મરચાંની આવક થઈ હતી. શુક્રવારે હરાજી બોલાઈ હતી. હરાજીમાં રૂ. 1800થી 3600 સુધીનો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈને આવ્યા હતા. તેમજ ખરીદદારો પણ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. તેમજ મગફળી, કપાસ, શીંગફાડા, સિંગદાણાની આવક આજે શનિવારે સવારે 8 કલાક સુધી જ આવવા દેવામાં આવશે. ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બીજી આવક બંધ રાખવામાં આવશે.

ભરવાડ સમાજના સમૂહલગ્નમાં મજૂર ભાઈઓ જવાના હોવાથી હરાજી તેમજ આવક પ્રભાવિત થશે. સોમવાર તથા મંગળવારે મગફળી, કપાસ, શીંગફાડા અને સિંગદાણાની હરાજીનું કામ બંધ રહેશે. ભરવાડ સમાજના સમૂહલગ્ન હોવાથી 31 જાન્યુઆરીના રોજ મંગળવારે સવારે 8 કલાકે મગફળી, કપાસ, શીંગફાડા, સિંગદાણા આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Read more

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જા

By Gujaratnow
પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓના નામ સૂચવ્યા છે. આ ખેલાડીઓમાંથી ચાર, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુશલે અને અમન સેહરા

By Gujaratnow
ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહા

By Gujaratnow