જાહેર ક્ષેત્રની બેન્ક દ્વારા 5 વર્ષમાં માંડવાળ લોન સામે 14% રિકવરી

જાહેર ક્ષેત્રની બેન્ક દ્વારા 5 વર્ષમાં માંડવાળ લોન સામે 14% રિકવરી

જાહેર ક્ષેત્રની બેન્કો માર્ચ, 2022ના રોજ પૂરા થતા પાંચ વર્ષ દરમિયાન રૂ.7.34 લાખ કરોડની લોન માંડવાળ સામે માત્ર 14 ટકા રકમની જ વસૂલાત કરી છે. રૂ.7.34 લાખ કરોડની લોન માંડવાળ સામે રાજ્ય હસ્તકની બેન્કોએ 1.03 લાખ કરોડની વસૂલાત કરી છે. બેન્ક દ્વારા રિકવરી બાદ હવે માંડવાળ થયેલી લોનની રકમ રૂ.6.31 લાખ કરોડ છે. બેન્ક દ્વારા તેની બેલેન્સ શીટને જાળવવા માટે નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે માંડવાળ થયેલી લોનની અસરનું મૂલ્યાંકન કરે છે.

RBIની માર્ગદર્શિકા અને તેના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિ અનુસાર બેન્ક આ પ્રક્રિયા અનુસરે છે. આ પ્રકારની માંડવાળને કારણે લોનધારકોને પુન:ચૂકવણીની જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી. માંડવાળ થયેલી લોનના લોનધારકો પુન:ચૂકવણી માટે જવાબદાર છે અને લોનધારકો પાસેથી લોનની રિકવરીની પ્રક્રિયા પણ સતત ચાલુ રહે છે.

બેન્ક માંડવાળ થયેલા ખાતામાંથી લોનની રકમની વસૂલાત માટે કેટલીક પદ્ધતિને અનુસરે છે. જેમાં ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરવો, સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકંસ્ટ્રક્શન ઑફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 હેઠળ કાર્યવાહી કરવાનો સમાવેશ થાય છે. તેઓ ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, 2016 હેઠળ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં વાટાઘાટો દ્વારા સમાધાન અને નોન-પર્ફોર્મિંગ એસેટ્સના વેચાણ દ્વારા વસૂલાતનો પ્રયાસ કરે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow