ધનબાદના એક બિલ્ડિંગમાં આગ લાગતાં 14નાં મોત

ધનબાદના એક બિલ્ડિંગમાં આગ લાગતાં 14નાં મોત

ઝારખંડના ધનબાદમાં જોડા ફાટક સ્થિત 10 માળના આશીર્વાદ ટ્વિન ટાવરમાં મંગળવારે સાંજે ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. સત્તાવાર રીતે 10 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 24થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. 20થી વધુ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગેલા છે.

મંગળવારે સાંજે 6.30 કલાકે ત્રીજા માળે આગ લાગી હતી. થોડી જ વારમાં તે એક ફ્લેટથી બીજા ફ્લેટમાં અને પછી 5 માળ સુધી ફેલાઈ ગઈ. આગની જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે સળગી જવાને કારણે મૃતદેહો ઓળખી શકાય તેમ નથી. કેટલાક મૃતદેહો એકબીજા સાથે ચોંટેલા છે. મૃતકોમાં 10 મહિલાઓ, ત્રણ બાળકો અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે.

હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટ ખાલી થઈ ગયા છે. ઘણા લોકો એપાર્ટમેન્ટના ટેરેસ પર જઈને જીવ બચાવવા આજીજી કરી રહ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow