રાજકોટ જિલ્લામાં 13 ચેકડેમ અને 109 તળાવ ઉંડા ઉતારાશે

રાજકોટ જિલ્લામાં 13 ચેકડેમ અને 109 તળાવ ઉંડા ઉતારાશે

રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા તાલુકામાં તળાવ ઊંડા ઉતારવા તેમજ ચેકડેમમાંથી કાંપ કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં હાલ કુલ 122 કામો શરૂ કરવામાં આવ્યા છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની હોય હાલ ગ્રામ વિસ્તારોમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમમાંથી કાંપ કાઢવો, ચેકડેમ ઉંડા ઉતરવા સહિતના કામો કરવામાં આવે છે. જળસંચયનો વ્યાપ વધારવા, ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા સહિતના હેતુ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં 3 ચેકડેમ અને 5 તળાવ ઉંડા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પડધરીમાં 6 તળાવ, ધોરાજીમાં 5 તળાવ, જામકંડોરણામાં 3 તળાવ, જસદણમાં 7 ચેકડેમ અને 42 તળાવ, વીંછિયામાં 3 ચેકડેમ અને 33 તળાવ, ગોંડલમાં 8 જ્યારે જેતપુરમાં 4 તળાવ ઊંડા ઉતારાશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow