મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ૧૨ સભ્યોના મોત,વધુ વાંચો....

મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ૧૨ સભ્યોના મોત,વધુ વાંચો....

મોરબીની પુલ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના 12 પરિવારજનોએ જીવ ગુમાવતા ટંકારા પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બોડા પરિવાર પર વજ્રઘાત થયો છે.

મોરબી ખાતે થયેલ ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં જબલપુરના પરિવાર ઉપર આભ તુંટ્યું છે. ચાર-પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ મૃત્યુ પામ્યા છે. જબલપુર ગામના વતની સુંદરજી ભાઈ પરસોતમભાઈ બોડા પરિવાર ઉપર ભારે કરૂણાંતીકા સર્જાયેલ છે તેમના ઉપર કુદરતનો કાળો કોપ થયેલ છે. આભ ફાટ્યું હોય તેમ દુ:ખના ડુંગરો તૂટીને પડ્યા છે.

મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં બોડા પરીવારની ચાર પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજના કરુણ મૃત્યુ થયેલ છે. બોડા પરિવારના કુટુંબીજનો જ નહી પરંતુ સમગ્ર જબલપુર ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ગ્રામજનો ભારે આક્રંદ કરી રડી રહેલ છે. બનાવને જાણ થાય ત્યારથી લોકો રડી રહેલ છે. એક પરિવારના 12 વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયેલા છે.

આ દુર્ઘટના યાદ કરીએ તો પણ હર્દયકંપી ઉઠે જેવી સર્જાઈ છે જેનાથી અનેક પરિવારના માળા વનવિખરે થઈ ગયા છે. આ દુર્ઘટના લઈ અનેક પરિવારની આંખોની અમી તુટતી નથી. અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં દુર્ગાબેનએ પોતાના પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. દુર્ગાબેનની 14 વર્ષની માસૂમ દીકરી કુંજલનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તો તેમની સગી 4 બહેનોના પણ મચ્છુમાં ડૂબવાથી મૃત્યુને ભેટી છે. જેમાં દુર્ગાબેનની બહેન ધારાબેન, ઈલાબેન, શોભનાબેન અને એકતાબેનનું મૃત્યુ છે. સાથે જ તેમના 3 બનેવીના પણ મૃત્યુ થયા છે, હરેશભાઇ, મહેશભાઈ, ભાવિકભાઈ નામના બનેવીના મૃત્યુ નીપજ્યા છે. જેમાં ચાર ભાણેજ અને દીકરીનું પણ મોત થયું છે. મોરબીની હર્દયકંપા દુર્ઘટમાં અનેકના જીવ ગયા છે અને કેટાલય પરિવારના માળા વનવિખરે થઈ ગયા છે. દુર્ગાબેનએ જણાવ્યું કે મને બધાની બહુ યાદ આવે છે મારી ઢીંગલી બહુ હોંશિયાર હતી.એક પરિવારના 12 વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થતા સમગ્ર ટંકારા તાલુકામાં દુ:ખની લાગણી ફેલાયેલ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow