પહેલા દિવસે 9 માઈમંદિરમાં 12 લાખ ભાવિકો પહોંચ્યા

પહેલા દિવસે 9 માઈમંદિરમાં 12 લાખ ભાવિકો પહોંચ્યા

ભક્તોની ભીડ અને માતાના જયજયકારથી ગૂંજી ઊઠેલાં પરિસરો. શ્રીફળ-ચૂંદડી અને ફૂલ-પ્રસાદ સાથે આગળ ડગલું ભરતા ભક્તો. ગુજરાતનાં મુખ્ય અને પ્રસિદ્ધ માઈમંદિરોમાં અંદાજે 12 લાખ ભક્તોએ દર્શન કર્યાં હતાં. નવરાત્રીના પહેલા દિવસે ભક્તોનો ઉત્સાહ ‘ડુંગરવાળી ડોશી’ના પર્વતથી પણ ઊંચો હતો. પાવાગઢમાં રવિવારે સાંજ સુધીમાં અંદાજે 3 લાખ ભક્તો ઉમટ્યા હતા. અંબાજીમાં 2.16 લાખ ભાવિકો પહોંચ્યા હતા. ચોટીલા-બહુચરાજી અને માતાના મઢમાં પણ ભક્તો ઊમટ્યા હતા.

આ પાંચેય મંદિરમાં સવારથી સાંજ સુધી લગભગ 7 લાખ ભક્તોએ દર્શન કર્યાં હતાં અંબાજીના મોહનથાળમાં નકલી ઘીના ઉપયોગના વિવાદ વચ્ચે મોહનથાળનો પ્રસાદ ખરીદવા માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરતાં જોવા મળ્યા હતા. આથી વધારાના 2 કાઉન્ટર ઊભા કરાયાં હતાં. 4 વાગ્યા પછી મંદિર બંઘ કરી સાફસફાઈ કરાઈ હતી. સાંજની આરતીનો ઘંટારવ થતાં જ મંદિર અંબાના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું. સાયંકાળે માતાજીને મગસ, ફળ અને દૂધનો ભોગ ધરાવાયો હતો. ભાવિકભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા. જોકે, મંદિરમાં પ્રવેશ માટે માત્ર એક શક્તિ દ્વાર સિવાયના ગેટ બંધ કરી દેવાતાં ધક્કામુક્કીના દૃશ્યો જોવા મળ્યા હતા. ભૈરવ મંદિર તરફ જવાનો માર્ગ પણ બંધ કરી દેવાતાં યજ્ઞપૂજામાં બેઠેલા પરિવારોને ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા માટે મુશ્કેલી પડી હતી. પાંચ નંબરના ગેટથી સરકારી બાબુઓના પરિવારો અને વીઆઇપીઓનો વહેલી સવારથી જ ધસારો જોવા મળ્યો હતો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow