વીમા કંપનીઓના 12000 કરોડનાં ટ્રાન્ઝેક્શન ઇન્કમટેક્સની તપાસ હેઠળ, આકરા દંડની વકી

વીમા કંપનીઓના 12000 કરોડનાં ટ્રાન્ઝેક્શન ઇન્કમટેક્સની તપાસ હેઠળ, આકરા દંડની વકી

વીમા કંપનીઓના 12,000 કરોડના ટ્રાન્ઝેક્શન આવકવેરા વિભાગના સ્કેનર હેઠળ છે. ટેક્સ અધિકારીઓ આ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને ઉચ્ચ કમિશન ચૂકવવામાં ટેક્સચોરીના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેવું આ બાબતો સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોએ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર વીમા કંપનીઓએ એજન્ટોને શેલ કંપનીઓ દ્વારા પેમેન્ટ કર્યું છે.

તેઓએ આ કંપનીઓનો ઉપયોગ તેમના એજન્ટોને વીમા નિયમનકાર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કમિશન ચૂકવવા માટે કર્યો હતો. પછી અન્ય હેડમાં આ પેમેન્ટ બતાવીને ટેક્સની રકમ ઘટાડી દેવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) આ કંપનીઓ દ્વારા શેલ કંપનીઓની રચનાની તપાસ કરી રહી છે. ગયા વર્ષે GST અધિકારીઓએ વીમા નિયમનકારને 12થી વધુ વીમા કંપનીઓ દ્વારા એજન્ટોને કમિશનની ચુકવણીમાં અનિયમિતતાની જાણ કરી હતી. ત્યારબાદ નવેમ્બરમાં આવકવેરા વિભાગે સંબંધિત વીમા એજન્ટોની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કેસની તપાસ સાથે જોડાયેલા અન્ય એક અધિકારીએ દાવો કર્યો કે,આ શેલ કંપનીઓની તપાસ કરવામાં આવી છે.

આમાંના કેટલાક કિસ્સાઓમાં તેઓએ સ્વીકાર્યું છે કે તેઓએ વીમા કંપનીઓને કોઈ જાહેરાત અથવા પ્રમોશનલ સર્વિસ પૂરી પાડી નથી. આ ખર્ચાઓની ચકાસણી કરતાં આ બોગસ ખર્ચ હોવાનું બહાર આવ્યું હતું. આ નિવેદનો ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. તે જ સમયે વીમા કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ અધિકારીઓ માર્કેટિંગ-સેલ્સ સંબંધિત ખર્ચને સેવાઓ પર કમિશન તરીકે ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને તેના પર ટેક્સની માંગણી કરી રહ્યા છે.

કોરોના મહામારી બાદ આ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો હતો એટલું જ નહીં કોરોના બાદ મોટાભાગની કંપનીઓ દ્વારા પ્રિમિયમમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે પણ કમિશનની આવક વધી હોવાનું અનુમાન છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow