સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

યુપીએસસી દ્વારા લેવામાં આવતી વિવિધ પ્રકારની સનદીસેવાઓની ભરતી માટે લેવામાં આવતી પરીક્ષા માટે સ્પીપા તાલીમ વર્ગો ચલાવે છે. જેમાં સ્પીપાના તાલીમ વર્ગમાં જોડાયેલા વિદ્યાર્થીઓની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને માટેની પરીક્ષા નિ:શુલ્ક લેવાતી હતી.

આ પરીક્ષા માટેની ફી રૂ. 1000 કરવાનો નિર્ણય કરાતા તેની સામે શહેરના વાસણા વિસ્તારના સામાજિક અગ્રણી જયદીપ સિંહ વાઘેલાએ પીએમ અને સીએમ કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ નિર્ણયને સ્થગિત કરવાની પણ માગણી કરી દીધી છે.

જયદીપ સિંહ વાઘેલાએ કહ્યું છે કે,‘સ્પીપા દ્વારા યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતો હોય ભલે પછી તે સ્પીપાના વિદ્યાર્થીઓ હોય કે ના હોય તે આ પરીક્ષા કોઈ પણ ફીની ચૂકવણી વિના આપી શકતો હતો.

જેનો સીધો જ લાભ સ્પીપામાં પ્રવેશ ન મેળવી શકેલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળતો હતો. જો કે હવે આ પરીક્ષા માટે રૂ. 1000ની ફી લેવાનું નક્કી કરાતા વિદ્યાર્થીઓના માથે આર્થિક બોજો પડશે. તેથી આ અંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે. સરકારે ગુજરાતના કોઈ પણ આર્થિક બેક ગ્રાઉન્ડમાંથી આવતો વિદ્યાર્થી યુપીએસસીમાં આગળ આવે તે માટે આ નિર્ણય સ્થગિત કરવો જોઈએ.’

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow