સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

સ્પીપામાં પરીક્ષાની ફી 1000 કરાતા PM સુધી રજૂઆત

યુપીએસસી દ્વારા લેવામાં આવતી વિવિધ પ્રકારની સનદીસેવાઓની ભરતી માટે લેવામાં આવતી પરીક્ષા માટે સ્પીપા તાલીમ વર્ગો ચલાવે છે. જેમાં સ્પીપાના તાલીમ વર્ગમાં જોડાયેલા વિદ્યાર્થીઓની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને માટેની પરીક્ષા નિ:શુલ્ક લેવાતી હતી.

આ પરીક્ષા માટેની ફી રૂ. 1000 કરવાનો નિર્ણય કરાતા તેની સામે શહેરના વાસણા વિસ્તારના સામાજિક અગ્રણી જયદીપ સિંહ વાઘેલાએ પીએમ અને સીએમ કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ નિર્ણયને સ્થગિત કરવાની પણ માગણી કરી દીધી છે.

જયદીપ સિંહ વાઘેલાએ કહ્યું છે કે,‘સ્પીપા દ્વારા યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતો હોય ભલે પછી તે સ્પીપાના વિદ્યાર્થીઓ હોય કે ના હોય તે આ પરીક્ષા કોઈ પણ ફીની ચૂકવણી વિના આપી શકતો હતો.

જેનો સીધો જ લાભ સ્પીપામાં પ્રવેશ ન મેળવી શકેલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળતો હતો. જો કે હવે આ પરીક્ષા માટે રૂ. 1000ની ફી લેવાનું નક્કી કરાતા વિદ્યાર્થીઓના માથે આર્થિક બોજો પડશે. તેથી આ અંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે. સરકારે ગુજરાતના કોઈ પણ આર્થિક બેક ગ્રાઉન્ડમાંથી આવતો વિદ્યાર્થી યુપીએસસીમાં આગળ આવે તે માટે આ નિર્ણય સ્થગિત કરવો જોઈએ.’

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow