પાક.માં દાઉદની ગુટકા ફેકટરી માટે મદદ કરનારા ત્રણને 10 વર્ષની કેદ

પાક.માં દાઉદની ગુટકા ફેકટરી માટે મદદ કરનારા ત્રણને 10 વર્ષની કેદ

ભાગેડુ ‘ગેંગસ્ટર’ દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓની મદદ કરનાર 3 આરોપીઓને વિશેષ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. દાઉદ અને તેની સાથે જોડાયેલા લોકોને પાકિસ્તાનના કરાચીમાં ગુટકા ફેક્ટરી ચાલુ કરવામાં જે.એમ. જોશી અને અન્ય બે લોકોએ મદદ કરી હતી. આ જ મામલે વિશેષ જજ બી.ડી. શેલ્કેએ જોશી, જમીરુદ્દીન અન્સારી અને ફારુખ મન્સૂરીને મકોકા હેઠળ દોષિત ઠેરાવ્યા હતા.

આ મામલે માણિકચંદ ગ્રૂપના સ્થાપક રસિકલાલ ધારીવાલ પણ એક દોષિત હતા, પરંતુ 2017માં તેમના નિધન બાદ તેમને આ મામલાથી અલગ કરાયા હતા. વાસ્તવમાં, રસિકલાલ અને જે.એમ.જોષી સાથે જ ગુટકાનો વેપાર કરતા હતા પરંતુ પૈસાને લઇને વિવાદ થયો હતો. ત્યારે કહેવાયું હતું કે જોશીએ ધારીવાલથી અલગ થઇને ગોવા ગુટકાના નામે એક બીજી કંપની શરૂ કરી હતી, પરંતુ બંનેએ વિવાદને પૂરો કરવા દાઉદની મદદ લીધી હતી. તેના પર દાઉદે શરત રાખી હતી કે પાકિસ્તાનમાં પણ એક ગુટકા ફેક્ટરી લગાવેે.

જૈન પર ફેક્ટરી શરૂ કરવાની સાથે જ 2.64 લાખની કિંમતનું મશીન પણ પાક. મોકલવા ઉપરાંત એક નિષ્ણાતને જબરદસ્તીથી ત્યાં મોકલીને ફેક્ટરી સેટ કરાવવા સહિતના આરોપો પણ સાબિત થયા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow