ગોંડલ વિધાનસભા બેઠક વિસ્તારમાં આચારસંહિતા ભંગની 10 ફરિયાદ મળી!

ગોંડલ વિધાનસભા બેઠક વિસ્તારમાં આચારસંહિતા ભંગની 10 ફરિયાદ મળી!

સંવદનશીલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક વિસ્તારમાં સી વીજીલ અંતર્ગત નાગરિકોએ નોંધાવેલી અને આચાર સંહિતા ભંગ સહિતની 10 ફરિયાદોનું અત્યાર સુધીમાં નિરાકરણ લાવી દેવામાં આવ્યું હોવાનું આશ્વાસન આપી જનરલ ઓબ્ઝર્વર મિશ્રાએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્ટાફને ઉપયોગી સુચનો કર્યા હતા.

73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ જિલ્લા ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી તેમજ સી-વીજીલ એપ દ્વારા થતી આચારસંહિતા ભંગને લગતી કામગીરીની સમીક્ષા કરી હતી.ફરિયાદ નિવારણ સેલમાં કાર્યરત સ્ટાફે સેલની કામગીરી અંગે નિરિક્ષક મિથિલેશ મિશ્રાને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ સેલને અત્યાર સુધીમાં ગોંડલ વિધાનસભા વિસ્તારોમાં આચારસંહિતા ભંગને લગતી કુલ 10 જેટલી ફરિયાદો સી-વિજીલ એપના માધ્યમથી મળી હતી. આ ફરિયાદોને તત્કાલ જે-તે વિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડને મોકલીને તેનું નિવારણ કરવામાં આવ્યું છે.

સાથે ટોલ ફ્રી નંબર – 18002330322 પર ઘણા પ્રશ્નોનું નિવારણ કરી આપવામાં આવ્યું છે.આ તકે નિરિક્ષકો સાથે અધિક ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow