ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10-10 કેસ આવ્યા

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10-10 કેસ આવ્યા

મચ્છરજન્ય રોગની સિઝનમાં રાજકોટ શહેરમાં સામાન્ય રીતે સૌથી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાય છે ત્યારબાદ મલેરિયા અને બાદમાં ઘણા ઓછા કેસ ચિકનગુનિયાના નોંધાતા હોય છે. જોકે આ વખતે ડેન્ગ્યુ જેટલા જ ચિકનગુનિયાના કેસ આવી રહ્યા છે. આ વખતે ચિકનગુનિયા વકરશે તેવી તો સ્થિતિ ઊભી થઈ છે કે કેમ તે અંગે આરોગ્ય અધિકારીને પ્રશ્ન કરાતા તેઓએ જણાવ્યું હતું કે, હવે મનપા જ સામેથી ટેસ્ટ કરી રહી છે એટલે કેસ વધ્યા છે.

આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું છે કે, ‘વોર્ડ દીઠ એક વોટ્સએપ ગ્રૂપ બનાવાયું છે. આ ગ્રૂપમાં વોર્ડના મહત્તમ જનરલ પ્રેક્ટિશનર આવરી લેવાયા છે. આ તમામને જણાવાયું છે કે, તેમને ત્યાં જે પણ દર્દીઓ આવે છે તેમનામાં તાવની સાથે સાથે સાંધાના દુખાવાની સમસ્યા હોય અથવા તો મચ્છરજન્ય રોગની શંકા હોય તો તુરંત જ વિગતો આપવામાં આવે. જે વિગતોને આધારે સૌથી પહેલા સ્ટાફ જે તે દર્દીના ઘરે જઈને એન્ટિ લારવા એક્ટિવિટી કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow