ચીનમાં રોજ 10 લાખ કેસ, 5 હજારનાં મોત!

ચીનમાં રોજ 10 લાખ કેસ, 5 હજારનાં મોત!

ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લંડનસ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીનું કહેવું છે કે ચીનમાં દરરોજ 10 લાખ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે તેમજ 24 કલાકમાં 5 હજાર મોત થઈ રહ્યાં છે. જો આવી જ સ્થિતિ રહેશે તો જાન્યુઆરીમાં દૈનિક કેસ વધીને 37 લાખ પર પહોંચી જશે, જ્યારે માર્ચમાં આ આંકડો 42 લાખ હશે.

જોકે ચીનના સત્તાવાર આંકડાઓમાં બુધવારે માત્ર 2 હજાર 966 નવા કેસ અને 10 લોકોનાં મોત નોંધાયાં છે. આ પહેલાં એરફિનિટીએ પોતાના અનુમાનમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસી ખતમ થયા બાદ 21 લાખ લોકોનાં મોત થઈ શકે છે.

વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 4.92 લાખ કેસ
વિશ્વભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ડેટા પર નજર રાખતી સંસ્થા Worldometers અનુસાર, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 4.92 લાખ કેસ નોંધાયા છે તેમજ કોરોનાને કારણે 1374 લોકોનાં મોત થયાં છે. જાપાનમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1.84 લાખ કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં 43263, ફ્રાન્સમાં 49517, બ્રાઝિલમાં 43392, દક્ષિણ કોરિયામાં 75744 કેસ મળી આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 289 લોકોનાં મોત થયાં છે, જ્યારે જાપાનમાં કોરોનાથી 339 લોકોનાં મોત થયાં છે, બ્રાઝિલમાં 165 લોકોનાં મોત થયાં છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow