અંબાજીમાં 3 દિવસમાં 1,65,500 શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

અંબાજીમાં 3 દિવસમાં 1,65,500 શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

શક્તિપીઠની અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઇઃ અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિને સવારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અન્ય ભાવિક મંડળો દ્વારા માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની અખંડ જ્યોતને ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી હતી. પરિકમ્મા માર્ગ પરના તમામ 50 શક્તિ પીઠોની જ્યોત થી જ્યોત મિલાવી પ્રજ્વલિત કરવામાં આવી હતી.

એ સાથે જ મોટી સંખ્યામાં પરિક્રમા કરાતા સમગ્ર ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી હતી. પરિકમ્મા મહોત્સવના ત્રીજા દિને 65,000 જ્યારે ત્રણ દિવસમાં 1,65,500 ભાવિકોએ માતાજીના દર્શન કરી પાવન બન્યા હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે.

ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી
ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી

51 શક્તિપીઠ પૈકી અહીં મા શક્તિનું હૃદય છે
વિશ્વભરના એકાવન શક્તિપીઠો પૈકી આ એક એવું મહત્વનું પીઠ કે જ્યાં મા શક્તિનુ હ્રદય પડ્યું છે. તેવા ગબ્બર શક્તિપીઠનું માઈ ભક્તો માટે પણ પરમ આસ્થાનું પ્રતીક ગણાય છે.

મોટાસડા સ્કૂલના વિદ્યાર્થીઓએ સેવા આપી
દાંતાના મોટાસડાની જયશ્રી દ્વારિકાધીશ સરસ્વતી વિદ્યાલયના એન. અેસ. એસના 50 સ્વયં સેવકો પણ યાત્રિકો માટે સેવા યજ્ઞમાં સહભાગી બની ઉમદા સેવા બજાવી હતી.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow