અંબાજીમાં 3 દિવસમાં 1,65,500 શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

અંબાજીમાં 3 દિવસમાં 1,65,500 શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી

શક્તિપીઠની અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઇઃ અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિને સવારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અન્ય ભાવિક મંડળો દ્વારા માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની અખંડ જ્યોતને ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી હતી. પરિકમ્મા માર્ગ પરના તમામ 50 શક્તિ પીઠોની જ્યોત થી જ્યોત મિલાવી પ્રજ્વલિત કરવામાં આવી હતી.

એ સાથે જ મોટી સંખ્યામાં પરિક્રમા કરાતા સમગ્ર ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી હતી. પરિકમ્મા મહોત્સવના ત્રીજા દિને 65,000 જ્યારે ત્રણ દિવસમાં 1,65,500 ભાવિકોએ માતાજીના દર્શન કરી પાવન બન્યા હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે.

ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી
ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી

51 શક્તિપીઠ પૈકી અહીં મા શક્તિનું હૃદય છે
વિશ્વભરના એકાવન શક્તિપીઠો પૈકી આ એક એવું મહત્વનું પીઠ કે જ્યાં મા શક્તિનુ હ્રદય પડ્યું છે. તેવા ગબ્બર શક્તિપીઠનું માઈ ભક્તો માટે પણ પરમ આસ્થાનું પ્રતીક ગણાય છે.

મોટાસડા સ્કૂલના વિદ્યાર્થીઓએ સેવા આપી
દાંતાના મોટાસડાની જયશ્રી દ્વારિકાધીશ સરસ્વતી વિદ્યાલયના એન. અેસ. એસના 50 સ્વયં સેવકો પણ યાત્રિકો માટે સેવા યજ્ઞમાં સહભાગી બની ઉમદા સેવા બજાવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow